જમ્મુ-કાશ્મીરનો ‘વિશેષ દરજ્જો’ પાછો મેળવવા છ વિરોધી પક્ષો એકજૂટ થયા

શ્રીનગરઃ કાશ્મીરમાં છ રાજકીય પક્ષોએ સર્વસંમતિથી સંકલ્પ લીધો છે કે જમ્મુ-કાશ્મીરમાં પાંચ ઓગસ્ટ, 2019ની પહેલાંની જેમ ‘વિશેષ દરજ્જો’ મેળવવા માટે સંઘર્ષ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે સરકાર દ્વારા લેવામાં આવેલું પગલું દ્વેષપૂર્ણ અને સંપૂર્ણ રીતે ગેરબંધારણીય હતું.  વિવિધ પક્ષોએ કહ્યું હતું કે  તેઓ ગુપકર ઘોષણા (Gupkar Declaration)થી બંધાયેલા છે, જે 4 ઓગસ્ટ, 2019એ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબદુલ્લાના ગુપકર આવાસ પર સર્વપક્ષી બેઠક પછી જાહેરાત કરવામાં આવી હતી.

4 ઓગસ્ટ, 2019ની બેઠકના પછીના પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે પક્ષો સર્વસંમતિથી જાહેર કરે છે કે જમ્મુ-કાશ્મીરની ઓળખ, સ્વયત્તતા અને વિશેષ દરજ્જાની સુરક્ષા માટે એકજૂટ રહેશે. આના એક દિવસ પછી પાંચ ઓગસ્ટે કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો પરત લેવા માટે અને એને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવાની જાહેરાત કરી હતી.

ગુપકર ઘોષણામાં કહેવામાં આવ્યું હતું કે અનુચ્છેદ 35A અને અનુચ્છેદ 370માં સંશોધન અથવા એને ખતમ કરવા, ગેરબંધારણીય સીમાંકન અથવા રાજ્યના ભાગલા જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખના લોકોની સામે આક્રમક હશે. પક્ષોએ આશરે એક વર્ષથી વધુના સમય પછી એક સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું છે કે તેઓ પાછલા વર્ષની જાહેરાતનું પાલન કરશે.

નેશનલ કોન્ફરન્સના માધ્યમથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પાછલા વર્ષે ચોથી ઓગસ્ટે ગુપકર ઘોષણા પર હસ્તાક્ષર કરવાવાળા પક્ષોની વચ્ચે બહુ ઓછઓ સંવાદ થઈ શક્યો હતો, કેમ કે સરકારે કેટલાય પ્રતિબંધો અને દંડાત્મક પ્રતિબંધ લગાવ્યો હતો, જેનો ઉદ્દેશ બધી સામાજિક અને રાજકીય વાતચીતને રોકવાનો છે.

આ સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવાવાળાઓમાં નેશનલ કોન્ફરન્સના રાષ્ટ્રીય અધ્યક્ષ ફારુક અબદુલ્લા, PDPના અધ્યક્ષ મહેબૂબા મુફ્તી, જમ્મુ-કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જી. એ. મીર. માકપાના નેતા એમ. વાય, તારિગામી, જમ્મુ-કાશ્મીરના પીપલ્સ કોન્ફરન્સના અધ્યક્ષ સજ્જાદ ગની  લોન અને જમ્મુ-કાશ્મીર આવામી નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ ઉપાધ્યક્ષ મુઝફ્ફર શાહ સામેલ છે.