PM મોદીએ ISROના વડા મથકે વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ ચંદ્રમાની સપાટી પર ચંદ્રયાન-3ની સફળ લેન્ડિંગ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે ISROના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી હતી. ઇસરોની ટીમને સંબોધિત કરતાં ભાવુક થયેલા વડા પ્રદાન મોદીએ  ત્રણ જાહેરાત કરી હતી. એક- દર વર્ષે 23 ઓગસ્ટે ભારત નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરશે. બીજી- જે જગ્યાએ લેન્ડર ચંદ્ર પર ઊતર્યું છે એ જગ્યાને શિવશક્તિ પોઈન્ટ કહેવામાં આવશે. ત્રીજી- ચંદ્રયાન-2ના જે જગ્યા પર નિશાન છે એ પોઈન્ટને ‘તિરંગા’ નામ તરીકે ઓળખાશે.

તેમણે કહ્યું હતું કે ઇસરોના વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે તમે જે કરી બતાવ્યું છે, એ આપણા બધા માટે પ્રેરણા છે.આ દરમિયાન તેમણે ટીમના તમામ વૈજ્ઞાનિકો સાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો.

આ પહેલાં ઇસરોના વડા એસ. સોમનાથે PM મોદીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. વડા પ્રધાને સોમનાથને ભેટીને તેમની પીઠ થપથપાવી હતી. સફળ ચંદ્રયાન-3 મિશન માટે તેમને અભિનંદન પાઠવ્યા હતા.  વડા પ્રધાને કહ્યું હતું કે આજે હું એક અલગ આનંદ અભનુભવી રહ્યો છું. આવા પ્રસંગો બહુ ઓછા આવે છે. ‘હું દક્ષિણ આફ્રિકામાં હતો, પણ મારું મન તમારી સાથે લાગેલું હતું.

PM મોદીની 3 મોટી જાહેરાત…

1- ચંદ્રયાન-3 જે સ્થાને ઊતર્યું એ સ્થાન હવે શિવશક્તિ પોઈન્ટ તરીકે ઓળખાશે.

2- 23 ઓગસ્ટનો દિવસ હવે અંતરિક્ષ દિવસ તરીકે ઊજવાશે.

3- ચંદ્રયાન-3ના ચંદ્ર પર જે સ્થાને પદચિહ્ન પડ્યાં હતાં,એ સ્થળ તિરંગા તરીકે ઓળખાશે.

તેમણે કહ્યું હતું કે અવકાશ વિજ્ઞાનના તમામ ગુણો અને રહસ્યો ઘણા સમય પહેલાં મળી આવ્યા હતા. આજે આખી દુનિયાએ ભારતની વૈજ્ઞાનિક શક્તિ, આપણી ટેકનોલોજી અને આપણા વૈજ્ઞાનિક સ્વભાવને લોહાના રૂપમાં સ્વીકારી લીધું છે. ચંદ્રયાન-3ની સફળતા સામાન્ય સફળતા નથી. આપણા ચંદ્ર મિશનની સફળતા વૈજ્ઞાનિકોની મહેનતનું પરિણામ છે.