છેલ્લા ત્રણ મહિનામાં સૌથી વધુ કોરોનાના કેસ

નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરાના વાઇરસના નવા કેસનો ગ્રાફ સતત વધી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કેસોમાં 3.8 ટકાનો વધારો નોંધાયો છે. રવિવારે 25,320 નવા કેસ નોંધાયા હતા, જ્યારે  આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 26,291 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 118 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,13,85,339 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,58,725 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,10,07,352  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 17,455 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,19,262 પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.68 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.39 ટકા થયો છે.

ICMRના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ 22.74 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 7,03,772 ટેસ્ટ થયા હતા.

 દેશમાં 2.99 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 2,99,08,038 લાખ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે.  ગઈ કાલે 1,40,880 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.