મહાશિવરાત્રીનો મહાપર્વ: કાશી વિશ્વનાથમાં નાગા સાધુઓની ભવ્ય શોભાયાત્રા

આજે મહાશિવરાત્રીનો મહા પૂર્વ છે. રાજ્ય સહિત ભારતભરમાં આ તહેરવાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દેશના 12 જ્યોતિલિંગ સહિત ખૂણે ખૂણાના શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા છે. કાશીમાં પણ શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. હાથમાં ગદા-ત્રિશૂળ. હાથી-ઘોડાની સવારી. શરીર પર ભસ્મ અને ફૂલોની માળા. હર હર મહાદેવનો નાદ. આ રીતે, 7 શૈવ અખાડાના 10 હજારથી વધુ નાગા સાધુઓ બાબા વિશ્વનાથના દર્શન કરવા માટે કાશી પહોંચી રહ્યા છે.

કાશી વિશ્વનાથ મંદિર જવાનો રસ્તો નાગા સાધુઓ માટે બેરિકેડ કરવામાં આવ્યો છે. નાગા સંતોના આશીર્વાદ મેળવવા માટે લાખો ભક્તો રાતથી જ રસ્તાના કિનારે ઉભા છે. સૌ પ્રથમ, જુના અખાડાના નાગા સાધુઓ મંદિર પહોંચ્યા. આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિ પણ તેમની સાથે રહ્યા. નાગા સાધુઓની શોભાયાત્રામાં ગાડીઓ, ઢોલ-નગારા અને શસ્ત્ર-અસ્ત્રની સાથે સ્ટંટ કરતા સાધુઓ સામેલ રહ્યા. મંદિરમાં દર્શન કરવા આવનારા ભક્તો પર ફૂલોની વર્ષા પણ કરવામાં આવી રહી છે.

મધ્યરાત્રિથી લગભગ 2 લાખ ભક્તો 3 કિમી લાંબી કતારમાં ઉભા છે. સવારથી અત્યાર સુધીમાં 2.37 લાખ ભક્તોએ દર્શન કર્યા છે. 2:15 વાગ્યે બાબા વિશ્વનાથની મંગળા આરતી કરવામાં આવી હતી. તેમનો વરરાજાની જેમ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. મંગળા આરતી દરમિયાન પ્રવેશ અટકાવવામાં આવતા ભક્તોએ હોબાળો મચાવ્યો હતો. પોલીસકર્મીઓ સાથે તેમનો ઝઘડો થયો. ભક્તોને આ બાબત સમજાવીને શાંત કરવામાં આવ્યા. આ પછી મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા.

Image

Image

Image