ઇસરો ચંદ્રયાન-3 આજે લોન્ચ કરશે: કાઉન્ટડાઉન શરૂ

નવી દિલ્હીઃ યંદ્રયાન-3 મિશનની ઊલટી ગણતરી શરૂ થઈ ચૂકી છે. બપોરે 2.35 કલાકે એને શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-3 મિશન માત્ર પર ભારત જ નહીં વિશ્વની નજર છે. ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર ઊતરતાં જ ભારત વિશ્વનો આવું કરવાવાળો ચોથો દેશ હશે.

ચંદ્રયાન-3 મિશન દ્વારા ઇસરો ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઊતરવાના પ્રયાસ કરશે. આ મિશન દ્વારા ચંદ્રની સપાટી પરના રસાયણો અને ભૌગોલિક માહિતી એકત્ર કરશે. આ મિશન દ્વારા પૃથ્વીની ઉત્ત્પત્તિ પણ માલૂમ કરી શકાશે. ચંદ્રયાન-3 લાગેલા રોવર દ્વારા અનેક માહિતી એકઠી કરવામાં આવશે.

ઇસરોના વૈજ્ઞાનિકોએ આશા વ્યક્ત કરી હતી કે લેંડર અને રોવર એક લૂનર ડે સુધી કામ કરશે. લૂનર પૃથ્વી 14 દિવસ બરાબર હોય છે. ચંદ્રયાન-રને LVM-3 રોકેટ લોન્ચર લઈને જશે. આ રોકેટ લોન્ચરને બાહુબલી રોકેટ લોન્ચર પણ કહેવામાં આવે છે. એણે અત્યાર સુધી બધાં મિશનને સફળતાપૂર્વક પૂરાં કર્યાં છે. ચંદ્રયાન-2ને પણ આ રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું હતું.  ચંદ્રયાન-3માં કુલ છ પેલોડ્સ લાગેલાં છે. પેલોડ્સ મતલબ એવાં યંત્ર જે ચંદ્રમા પર તપાસ કરી શકે. લેન્ડરમાં રંભા એલપી ચાસ્તે અને ILSA લાગેલાં છે.  જ્યારે રોવરમાં APXS અને LIBS પેલોડ લાગેલાં છે.

આ પૂરું મિશન 45થી 50 દિવસનું હશે. ઇસરોના પ્રમુખ સિવને જણાવ્યું હતું કે જો મિશન યોજના હેઠળ ચાલશે તો 23-24 ઓગસ્ટે લેન્ડર અને રોવરને ચંદ્રની સપાટી પર ઉતારવાના પ્રયાસ કરવામાં આવશે, પણ જો કોઈ કારણથી લેન્ડિંગમાં મુશ્કેલીઓ થશે તો સપ્ટેમ્બરમાં ફરીથી લેન્ડ કરવાના પ્રયાસ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે આ વખતે મને આશા છે કે અમે ચંદ્રયાન-2થી સબક લેતાં નાની-મોટી ભૂલોને દૂર કરી છે. એટલે અમને વિશ્વાસ છે કે આ વખતે અમે ચંદ્રની સપાટી પર સફળતાથી ઊતરીશું.