કોરોનાના નવા કેસો સૌપ્રથમ-વાર એક લાખને પાર

 નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 1,03,558 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 478 લોકોનાં મોત થયાં છે. આ પહેલાં દેશમાં સૌથી વધુ કેસ 17 સપ્ટેમ્બર, 2020એ નોંધાયા હતા, ત્યારે દેશમાં કુલ કેસો 97,894 કેસો નોંધવામાં આવ્યા હતા. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,25,89,067 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,65,101 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,16,82,136 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 52,847 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,41,830 પહોંચી છે. રિકવરી રેટ વધીને 92.80 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.31 ટકા થયો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના 57,000થી વધુ કેસ

મુંબઈમાં અને પુણેમાં ક્રમશઃ કોરોના વાઇરસના નવા 11થી 12,000 કેસ નોંધાયા છે. મુંબઈમાં 24 કલાકમાં નોંધાયેલા આ સૌથી વધારે કેસ છે. મહારાષ્ટ્રમાં રવિવારે 222 લોકોનાં મોત થયાં છે. જ્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 57,074 કેસ નોંધાયા છે.

દેશમાં 7.91 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 7,91,05,163 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 16,38,464 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.