કોરાનાના 269 નવા કેસો, ત્રણ જણનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 269 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,22,488 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

દેશના કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ  JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. હવે ઉત્તર પ્રદેશમાં આ નવા વેરિયેન્ટના નવા કેસ મળ્યા છે અને દેશમાં આ વેરિયેન્ટના 1000થી વધુ કેસ થયા છે.   કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 1000થી દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 214 કેસો નોંધાયા છે અને આંધ્ર પ્રદેશમાં 189 કેસ નોંધાયા છે.  આ સાથે કેરળમાં 154, ગોવામાં 90, ગુજરાતમાં 76, મહારાષ્ટ્રમાં 170, તામિલનાડુમાં 88, ઉત્તર પ્રદેશમાં સાત અને રાજસ્થાનમાં 32, દિલ્હીમાં 16 અને ઓડિશામાં ચાર કેસ નોંધાયા છે. આ આ નવા વેરિયેન્ટના કુલ 1104 કેસો નોંધાયા છે.દેશમાં અત્યાર સુધી 5,33,415 લોકોનાં મોત થયાં છે.                                                              દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,86,612 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 514 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2556 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,83,312 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 216 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.