સમગ્ર રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 173 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યાં કેટલો વરસાદ

ગુજરાતના 173 તાલુકામાં મેઘમહેર થઇ છે. જેમાં ગોધરા તથા શહેરામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ મહીસાગરના વિરપુરમાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તથા સાબરકાંઠાના તલોદ તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ સાથે દિવસભર અમદાવાદ-ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. તથા આજે પણ હળવો વરસાદ અમદાવાદમાં યથાવત છે. રાજ્યમાં આજે વરસાદની હેલી જોવા મળી છે. જેમાં ગઇકાલે ગુજરાતના 173 તાલુકાઓમાં અવિરત વરસાદ થયો છે. તેમાં પંચમહાલના ગોધરા અને શહેરામાં 9-9 ઇંચ વરસાદ, મહીસાગરના વિરપુરમાં 8 ઇંચથી વધુ વરસાદ, સાબરકાંઠાના તલોદ તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં ઘટાડો નોંધાયો છે. 1,30,208 ક્યુસેકનો ઘટાડો થયો છે. જ્યારે પાણીની જાવકમાં પણ મોટો ઘટાડો થયો છે. જેના કારણે કાંઠા કિનારે પૂરના પાણી ઓછા થવાનું શરૂ થયું છે.

NDRF-SDRF સ્ટેન્ડબાય રાખવામાં આવી

વહેલી સવારથી જ અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ શહેરામાં નોંધાયો છે. અહીં 8 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ગોધરામાં 7 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. મોરવા હડફમાં 6 ઈંચ, તલોદમાં 6 ઈંચ, લુણાવાડામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ધોધમાર વરસાદ વરસતા નર્મદાનું જળસ્તર વધ્યુ છે. જેના પગલે 3 જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. તો નર્મદા, વડોદરા, ભરુચના કુલ 70 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા કાંઠાના 150થી વધુ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યો છે. વધુ વરસાદના કારણે સંભવિત સંકટના વિસ્તારોમાં NDRF-SDRF સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.