આજે IPL 2025માં, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર-2 મેચ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ જીતનાર ટીમ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો કરશે. પંજાબની ટીમે પ્રથમ ક્વોલિફાયર મેચ RCB સામે ખરાબ રીતે હારી ગઈ હતી. આજની મેચમાં, તેઓ પોતાની ભૂલો સુધારીને ફાઇનલમાં પહોંચવાનો માર્ગ શોધશે.
Next stop: Qualifier 2️⃣ 😍@mipaltan are all set to meet the @PunjabKingsIPL for a ticket to glory 🎟
Scorecard ▶ https://t.co/R4RTzjQfph#TATAIPL | #GTvMI | #Eliminator | #TheLastMile pic.twitter.com/vK0oAjcG5s
— IndianPremierLeague (@IPL) May 30, 2025
મુંબઈ ઇન્ડિયન્સ એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને અહીં પહોંચી છે. MI પણ ફાઇનલમાં પહોંચવા માટે નજર રાખશે. આજની મેચમાં, MI કેપ્ટન હાર્દિક પંડ્યા અને પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયર તેમજ રોહિત શર્મા, પ્રિયાંશ આર્ય જેવા ખેલાડીઓ પર પ્રદર્શન કરવાનું દબાણ રહેશે. IPLના ઇતિહાસમાં અત્યાર સુધી બંને ટીમો વચ્ચે કુલ 33 મેચ રમાઈ છે, જેમાં મુંબઈએ 17 જીતી છે જ્યારે પંજાબે 16 મેચ જીતી છે.
We’re into the endgame now 🏆
Tonight, one journey ends… and one marches to the final frontier ⚔️#TATAIPL | #PBKSvMI | #Qualifier2 | #TheLastMile pic.twitter.com/8ayQ2oFFbF
— IndianPremierLeague (@IPL) June 1, 2025
જો આ આંકડા પર નજર કરીએ તો, બંને ટીમો વચ્ચે કઠિન સ્પર્ધા રહી છે. 2023 અને 2024 માં બંને ટીમો વચ્ચે રમાયેલી મેચોમાં જીત-હારનો સિલસિલો પણ સમાન હતો, જે સ્પષ્ટ કરે છે કે બંને ટીમો એકબીજાને કઠિન સ્પર્ધા આપે છે. આ સિઝનમાં, બંને ટીમો ફક્ત એક જ વાર એકબીજા સામે ટકરાઈ હતી, જ્યાં શ્રેયસ ઐયરના નેતૃત્વમાં પંજાબે મુંબઈને હરાવ્યું હતું.
પંજાબ કિંગ્સ ટીમને આશા છે કે તેના બંને ઓપનર પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહ મજબૂત શરૂઆત આપશે. પંજાબની ટીમ આ ઓપનિંગ જોડી પર ખૂબ નિર્ભર છે. તે જ સમયે મુંબઈ ઈન્ડિયન્સ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ પર નજર રાખશે.
