IND vs AUS: વિશાખાપટ્ટનમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T20

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ બાદ ફરી એકવાર એકબીજાનો સામનો કરશે, પરંતુ આ વખતે ફોર્મેટ T20 હશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી એટલે કે 23 નવેમ્બર, ગુરુવારથી પાંચ મેચની T20 શ્રેણી રમાશે. પ્રથમ મેચ વિશાખાપટ્ટનમના ડૉ. વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર ઓસ્ટ્રેલિયાની જીતની ટકાવારી 100 છે. અહીં ટોસ મહત્વની ભૂમિકા ભજવે છે.

  • વિશાખાપટ્ટનમના ડૉ. વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં ટોસ જીતનારી ટીમોની જીતની ટકાવારી 66.66 છે. આવી સ્થિતિમાં આ મેદાન પર ટોસ ‘બોસ’ બની જાય છે.
  • ઓસ્ટ્રેલિયન ટીમે આ મેદાન પર ટી20 મેચ રમી છે, જેમાં તેણે 3 વિકેટથી જીત મેળવી હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાની અહીં જીતની ટકાવારી 100 છે.
  • 10 વર્ષમાં (2012-2022), આ મેદાન પર ત્રણ T20 મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમોનો સરેરાશ સ્કોર 129 રન રહ્યો છે. જ્યારે પાછળથી બેટિંગ કરનારી ટીમોએ 3 માંથી 2 મેચ જીતી છે.
  • મેદાન પર સૌથી વધુ ટોટલ 179 રન છે, જે ભારત દ્વારા 2022માં દક્ષિણ આફ્રિકા સામે બનાવવામાં આવ્યા હતા. ગ્રાઉન્ડ પર સૌથી ઓછો સ્કોર 82 રન છે, જે શ્રીલંકાએ 2016માં ભારત સામે બનાવ્યો હતો.
  • અત્યાર સુધી કોઈ પણ બેટ્સમેને T20માં આ મેદાન પર ટ્રિપલ ડિજિટનો સ્કોર બનાવ્યો નથી. અહીં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ રૂતુરાજ ગાયકવાડના નામે છે, જેણે 2022માં દક્ષિણ આફ્રિકા સામે 57 રન બનાવ્યા હતા.
  • અહીં સૌથી મોટો ટોટલ 127 રનનો છે, જે ઓસ્ટ્રેલિયાએ 2019માં ભારત સામે હાંસલ કર્યો હતો.
  • ભારતીય ટીમે અહીં કુલ ચાર T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે 2 જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ અનિર્ણિત રહી હતી.

સૂર્યકુમાર યાદવ પ્રથમ વખત ભારતની કમાન સંભાળશે

નોંધનીય છે કે આ પહેલીવાર હશે જ્યારે સૂર્યકુમાર યાદવ કોઈપણ ફોર્મેટમાં ભારતની કમાન સંભાળશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ T20 મેચ રમાશે, જેમાં સૂર્યા ટીમની કેપ્ટનશીપ કરશે.