હિરાસર એરપોર્ટની એક વર્ષમાં દીવાલ તૂટી પરંતુ ઓથોરીટીનું મૌનના તૂટ્યું

રાજકોટનું હિરાસર એરપોર્ટ આવરનાર ચર્ચા આવતું રહેતું હોય છે. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા પાસે હીરાસર ખાતે રૂ. 2,654 કરોડના ખર્ચે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવેલું છે. જોકે તેના એક વર્ષમાં જ આ એરપોર્ટના કામમાં ભ્રષ્ટાચારની ચાડી ખાતા દ્રશ્યો સામે આવતા રહે છે. અગાઉ ટર્મિનલ બિલ્ડીંગ પાસે કેનોપી તૂટી પડી હતી. તો 26 ઓગસ્ટ, 2024ના રોજ 15 ફૂટ લાંબી અને 50 ફૂટ જેટલી પહોળી દીવાલ ધરાશાયી થઈ જતા સત્વરે રીપેરીંગ થઈ શકે તેમ ન હોવાથી સુરક્ષા સામે જોખમ ઊભું થયું છે. જોકે હાલ ત્યાં CISFના જવાનોનો 24 કલાક પહેરો રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી આ દીવાલનું રીપેરીંગ કામ કરવામાં આવેલું નથી.

એરપોર્ટની આ દિવાલ પડતા ચોટીલાના લોમા કોટડી ગામના સરપંચના ભાઈના ખેતરમાં પાકનું ધોવાણ થઈ જતા અઢીથી ત્રણ લાખ જેટલું નુકસાન થયું હોવાનુ સામે આવ્યું છે. આ ઉપરાંત ખેતરમાં થયેલી નુકસાની અંગે વળતર મેળવવાની સરપંચે માગ કરી છે. તેમને સરકાર અથવા તો એરપોર્ટ ઓથોરિટી નુકસાન વળતર કરે તેવી માગ કરી છે. જે બાદ દિવાલ પડ્યા બાબતે હજુ પણ એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થી થોડા સમય પર પહેલા દુબઈ ફ્લાઈટની ઉડાનની વાતો ચાલી રહી હતી. જ્યાં ફ્લાઈટની જગ્યાએ દિવાલ ધરાશાયી છે. આ ઉપરાંત રન વેની બોર્ડર પરની 15 ફૂટની દિવાલ સોમવારે ધરાશાયી થઈ ગઈ હતી. જ્યારે આ દિવાલે એક વર્ષ પહેલા જ નિર્માણ પામેલા ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ કેટલું નબળું કરવામાં આવ્યું છે તેનો પુરવો આપી દીધો છે.

ગત 29 જૂનના રોજ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની ડોમ કેનોપી બપોરે ધરાશાયી થઈ ગઈ હતી. મુસાફરોના પ્રસ્થાન દ્વાર પાસે જ આ ડોમની કેનોપી પડી ભાંગી પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે તેનાથી મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.ઉલ્લેખનીય છે કે, રાજકોટ-અમદાવાદ હાઇવે પર પાસે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ એક વર્ષ પહેલાં જ રૂ.2,654 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું અને તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 27 જુલાઇ, 2023ના રોજ થયું હતું. જ્યારે સપ્ટેમ્બર માસમાં અહીંથી ફ્લાઇટની ઉડાન શરૂ થઈ હતી. પરંતુ આ એરપોર્ટ નિર્માણ પામ્યાના એક વર્ષમાં જ કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં ભયંકર ગોબાચારી કરવામાં આવ્યા હોવાના દ્રશ્યો એક પછી એક સામે આવી રહ્યા છે.