નાગપુર માટે સુરતની ટ્રાફિક સિસ્ટમ પ્રેરણા બની, નીતિન ગડકરીએ કર્યા વખાણ

સુરતમાં ચાર મહિના પહેલા ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરામાં આવી છે. પરંતુ ક્યાંકને ક્યાંક સિગ્નલો હજુ પણ નિષ્ફળ થયા હોય તેવુ જોવા મળી રહ્યું છે. ગ્રીન લાઇટ સિગ્નલને ઓછો સમય અને રેડ લાઇટ સિગ્નલને વધુ સમય આપવાથી ટ્રાફિક જામ થાય છે. ત્યારે બીજી બાજુ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સુરતની ટ્રાફિક વ્યવસ્થા અને એક NGOની મદદથી ટ્રાફિક વ્યવસ્થાપનથી પ્રભાવિત છે. તેથી તે પોતાના ગૃહ જિલ્લા નાગપુરમાં આ સિસ્ટમ લાગુ કરવા માંગે છે.

મળતી માહિતી અનુસાર સુરતમાં શરૂ કરવામાં આવેલી સિસ્ટમ નાગપુરમાં લાગુ કરવા માટે, નાગપુર તંત્રની ટીમ મોકલવમાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં નવી ટ્રાફિક લાઈટને લઈ ક્યાં ખુશી તો ક્યાં ગમનો માહોલ જોવા મળ્યો. પરંતુ અંતે સુરતીઓ આ નવી સિસ્ટમ સાથે વ્યવહાર બની ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. એપ્રિલથી લાગુ કરાયેલી નવી ટ્રાફિક લાઇટ સિસ્ટમમાં ક્ષતિઓ દૂર કર્યા બાદ હવે સુરતમાં ટ્રાફિક પહેલા કરતા ઘણો સરળ છે. જેના કારણે સુરતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. સુરતમાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ નામની સંસ્થા વર્ષોથી ટ્રાફિક મેનેજમેન્ટનું કામ કરે છે.

સુરતની આ સરહાનીય કામગીરીની માહિતી મળતાં ગડકરીએ નાગપુરના અધિકારીઓને કહ્યું કે સુરતની ટ્રાફિક વ્યવસ્થા એક એનજીઓ દ્વારા અસરકારક રીતે સંચાલિત કરવામાં આવે છે. જે નાગપુરે સુરત પાસેથી શીખવું જોઈએ. નાગપુરમાં 100 થી 150 મીટરના અંતરે સિગ્નલ લગાવવામાં આવ્યા છે. સિગ્નલ પરની પીળી લાઈટ ફ્લેશ થતી નથી અને સિસ્ટમ ટાઈમર સેટ નથી. જેના કારણે જ્યાં ટ્રાફિક જામ ન હતો તે ચાર રસ્તા પર ટ્રાફિક જામ થવા લાગ્યો છે. પીક અવરમાં ઘણી જગ્યાએ ટ્રાફિક જામ થાય છે. શહેરમાં જ્યાં સિગ્નલની જરૂર નથી ત્યાં પણ સિગ્નલ લગાવવામાં આવ્યા છે. એક કિલોમીટરના અંતરમાં 4 થી 5 સિગ્નલ લગાવવામાં આવ્યા છે. આનાથી લોકોનો સમય અને ઈંધણનો વ્યય થાય છે અને પ્રદૂષણ વધે છે. નાગપુરમાં ગડકરીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એક ટીમ સુરત મોકલવાનો નિર્ણય લેવાયો છે.

નાગપુરના તંત્રએ ફોન પર સુરતની ટ્રાફિક વ્યવસ્થાની માહિતી લીધી છે. સુરતની જેમ ત્યાં શું સુધારી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સિસ્ટમાં ત્રણ મુખ્ય પરિબળ છે, જેમાં એક સિગ્નલ સિસ્ટમ, બીજું ટ્રાફિક પોલીસ યુનિટ અને ત્રીજું ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષ રોડ અકસ્માતનો દર ઘટીને 160 પર પહોંચી ગયો છે. આ ઉપરાંત શહેરમાં 8 બ્લેક સ્પોટ હતા, જે ઘટીને 5 થઈ ચૂક્યા છે. જેના પર તંત્ર કાર્યરત છે. ઈમરજન્સીની સ્થિતિમાં પોલીસકર્મી અને ટ્રાફિક પોલીસ સાથે વાત કરી શકે તે માટે શહેરમાં 27 ટ્રાફિક પોઈન્ટ પર 50 ટ્રાફિક એડ્રેસ સિસ્ટમ લગાવવામાં આવી છે.થજેમાં હેલા જ રોકવી જો સમગ્ર સુરત શહેરને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે. જેમાં કંટ્રોલ રૂમમાંથી સમગ્ર શહેર પર નજર રાખવામાં આવે છે. કોઈપણ સિગ્નલ પર ટ્રાફિક જામ થાય તે પછી કંટ્રોલ રૂમ તરત જ સૂચના જાહેર કરે છે.