હાઈકોર્ટની નોટીસ પછી સરકારે હેલ્મેટ મામલે ફેરવી તોળ્યું!!

ગાંધીનગરઃ સેન્ટ્રલ મોટર વિહીકલ એક્ટ ૨૦૧૯ ની વિરુદ્ધ ગુજરાત સરકાર દ્વારા જનતાને શેહરી વિસ્તારમાં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં સેકશન ૧૨૯ મુજબ હેલ્મેટ ફરજિયાત છે પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એ કાયદાને હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો હતો.

સામાન્ય રીતે કોઈપણ રાજ્ય તરફથી કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ કાયદો બદલી શકાય નહીં. જો કોઈ રાજય સરકારે પાર્લામેન્ટ દ્વારા બનાવવામાં આવેલ કાયદા માં ફેરફારો કરવા હોય તો ભારતના બંધારણના આર્ટિકલ ૨૫૪ (૨) મુજબ રાજય વિધાનસભામાં પસાર થયેલ કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવાનો હોય છે. જેમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ નોટીફીકેશન બહાર પાડીને કાયદો અમલમાં મુકાય છે. પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની કોઈપણ કાર્યવાહી કર્યા વગર જ ફક્ત રાજકીય હેતુ માટે શેહરીવિસ્તારમાં  હેલ્મેટ પહેરવાનું મરજીયાત કરવામાં આવ્યું હતું.

સેન્ટ્રેલ મોટર વેહિકલ એકટ ૧૯૮૮ સેક્શન ૧૨૯ મુજબ ટુ વ્હિલ વાહન ચલાવનાર અને પાછળ બેસનાર વ્યક્તિ બંનેએ ફરજીયાત હેલ્મેટ પેહારવાનું હોય છે. જેમાંથી ૪ વર્ષ સુધીના બાળકો અને શીખ સમુદાયને આ કાયદા માંથી મુક્તિ આપવામાં આવી છે. જે નિયમમાં સુધારો કરીને રાજય સરકાર દ્વારા બનાવવામાં આવેલ ગુજરાત મોટર વિહીકલ રુલ્સ ૧૯૮૯ માં ટુ વ્હિલરમાં પાછળ બેસવા વાળી લેડીસ અને ૧૨ વર્ષ નીચેના બાળકોને હેલ્મેટ પેહરવમાંથી મુક્તિ આપવામાં આવી છે.

અન્ય રાજ્યોમાં જયારે વાહન ચાલકોની સુરક્ષા હેતુ વાહન ચાલક અને પાછળ બેસવા વાળા બંનેને હેલ્મેટ ફરજીયાત હોય છે, ત્યારે ગુજરાત માં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ કેમ?

કેન્દ્ર સરકારના આકડા મુજબ વર્ષ ૨૦૧૮ માં ભારતમાં ૪૩ હજાર ૬૧૪ જેટલા લોકોનું હેલ્મેટ અને સીટ બેલ્ટ નહી પેહારવાથી મોત થયું છે. જયારે આ આકડો વર્ષ ૨૦૧૬ માં ૩૫૯૭૫ હતો. એટલે ૨ વર્ષમાં ૯.૧૦% મૃત્યુઆંક વધી ગયો છે.

ગુજરાત સરકાર દ્વારા હેલ્મેટ મરજીયાત કર્યા બાદ સુપ્રીમકોર્ટની રોડ સેફટી કમીટી દ્વારા પત્ર પાઠવીને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પાસેથી સેન્ટ્રેલ મોટર વિહીકલ એકટના અમલીકરણનો રીપોર્ટ પણ માંગવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકારને કાયદો બદલવાની કોઈ સત્તા નથી એનો સ્પષ્ટ પણે ઉલ્લેખ પણ છે.

સુરતના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા આ જાહેર હિતની અરજી કરવામાં આવી. જેમાં વકીલ રોક્યા વગર દલીલ કરવા માટે અરજદાર સંજય ઇઝાવાને ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોમ્પીટન્ટ સર્ટિફિકેટ/ સક્ષમતા પ્રમાણ પત્ર પણ આપવામાં આવ્યું છે. જેથી અરજદાર જાતે કોર્ટમાં જજ સામે પોતાની વાતો/દલીલો રજૂકરી શકે.