અમદાવાદમાં હેલમેટ ન પહેરતા પોલીસ સામે પણ થશે કાર્યવાહી

અમદાવાદ: સ્માર્ટ સીટી ગણાતા અમદાવાદમાં હેલમેન્ટ મુદ્દે અવાર નવાર કેટલાક પ્રશ્નો ઊભા થતા હોય છે. ત્યારે હવે શહેર પોલીસ કમિશનર ફરી એક વખત હેલમેન્ટ મુદ્દે આક્રમક બન્યા છે. પરંતુ આ વખતે શહેર પોલીસ કમિશનર હેલમેટ મુદ્દે અમદાવાદ પોલીસ સામે જ બન્યા છે. જી, હા હવે અમદાવાદ શહેર પોલીસનો સ્ટાફ હેલમેટ નહી પહેરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. કર્મચારીઓને હેલમેટ પહેરવા માટે ફરજિયાત આદેશ કરવામાં આવ્યો છે.પોલીસ અધિકારી અને કર્મચારીઓએ ફરજિયાત હેલમેટ પહેરવું જરૂરી બન્યું છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે એક પરિપત્ર બહાર પાડયો છે, જે પરિપત્ર પોલીસ કર્મીઓ માટે છે જેમાં અધિકારીઓ પણ આવી ગયા જેમા તેમણે કહ્યું કે અમદાવાદ શહેર પોલીસમા ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓએ ફરજિયાત હેલમેટ પહેરીને પોલીસ સ્ટેશન આવવું પડશે જેમાં સિવિલ સ્ટાફને પણ હેલમેટ પહેરવું ફરજિયાત રહેશે,અને આ હેલમેટની જવાબદારી પોલીસ સ્ટેશનના અધિકારીને સોંપવામાં આવી છે. પોલીસ કમિશનરનું કહેવું છે કે,અમદાવાદમાં શહેરમાં ફરજ બજાવતો કોઈ પણ કર્મચારી હેલમેટ વિના કચેરીમાં પ્રવેશ નહી કરે તેને લઈ પરિપત્ર કર્યો છે. આ બાબતને લઈ દંડનીય કાર્યવાહી પણ થશે તેવો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે હવે પોલીસ પણ પોલીસની ભલામણ નહી રાખે અને હેલમેટ પહેરશે.જે પણ પોલીસ કર્મીઓએ હેલમેટ વસાવ્યું નથી તે જલદીથી હેલમેટ વસાવી લો નહીતર દંડનીય કાર્યવાહી થશે. NCRBના ડેટા મૂજબ વાત કરવામાં આવે તો વર્ષ 2022માં રોડ એક્સીડન્ટના ડેટા મુજબ ભારતમાં કુલ 171100 વ્યક્તિઓના મૃત્યુ રોડ અકસ્માતના કારણે થયેલ છે. જે પૈકી 77876 એટલે કે 45.51% મૃત્યુ ટુ વ્હિલર વાળાના થયેલ છે. મૃત્યુ થવાનું મુખ્ય કારણ હેલ્મેટ નહિ પહેર્યા હોવાનું જાણવા મળતું હોય છે. મોટર વ્હિકલ એક્ટ-૧૯૮૮ ની કલમ ૧૨૯ તેમજ ગુજરાત મોટર વ્હિકલ રૂલ્સ 103 મુજબ મોટર સાયકલ ચાલક હેલ્મેટ પહેરવું ફરજીયાત છે, જેથી પોલીસ દ્વારા સૌથી પહેલા સ્વયં આ કાયદાનું પાલન કરવું જરૂરી છે. નિયમ મુજબ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) ના માપદંડ મુજબનું હેલમેટ પહેરવું ફરજીયાત છે.