કોરોના સામે હવે દેશી સેનેટાઈઝર અને અગરબત્તીનું સંશોધન

રાજકોટ: એક તરફ સમગ્ર દુનિયાના વૈજ્ઞાનિકો કોરોના વાઈરસની વેક્સીન અને મહામારી રોકતી અટકાવવાના રસ્તા શોધી રહ્યા છે, ત્યારે બીજી તરફ આપણા અમુક સંશોધકો ય એમની પરંપરાગત સૂઝબૂઝ પ્રમાણે કોરોના સામે કામે લાગી ગયા છે.

આ રહયું એનું ઉદાહરણ.

કોરોનાની બચવા લોકોએ વારંવાર સેનેટરાઇઝરથી હાથ ધોવા જરૂરી છે એ વાત આવ્યા પછી બજારમાં સેનેટરાઇઝરની અછત સર્જાઇ છે અને ભાવ પણ વધારે થઇ ગયા છે ત્યારે ત્યારે રાજુલામાં રહેતા અને ફાર્મસી આયુર્વેદના ક્ષેત્રે છેલ્લા 25 વર્ષથી કામ કરતા એક યુવાને દેશી સેનેટાઈઝર અને દેશી અગરબત્તીનું સંશોધન કરી કોરોના સામે લડવા માટેનો એક પ્રયાસ હાથ ધર્યો છે.

અમરેલીના રાજુલામાં રહેતા મહેશભાઇ હાનાણીએ અત્યારની પરિસ્થિતિને જોતા આ કાર્ય કર્યું છે. આ પહેલા પણ એમે સ્વાઇન ફલુ વખતે એક આયુર્વેદ અગરબત્તી બનાવી બતી. મહેશભાઇ ચિત્રલેખા.કોમ ને કહે છે કોરોનાની બચવા માટે સતત સેનેટરાઇઝરથી હાથ ધોતા રહેવા જોઇએ, પણ અત્યારે બજારમાં મળતા આલ્કોહોલવાળા સેનેટરાઇઝરથી ઘણી જગ્યાએ મહિલાઓના હાથ દાઝયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે મેં દેશી સેનેટરાઇઝર બનાવ્યું છે જેનાથી જંતુઓનો નાશ થઇ શકે છે, આ સેનેટરાઇઝરથી હાથ ધોઇ શકાય છે સાથે સાથે એને કપડા પર પણ છાંટી શકાય છે. દેશી સેનેટરાઇઝર પાંચ ઔષધીમાંથી એક સ્ટીક રુપે બનાવ્યું છે. આ સ્ટીકને લોકો ગળામાં પણ પહેરી શકે છે અને પોતાના રુમાલમાં પણ લગાવી શકે છે. આ સેનેટરાઇઝર સસ્તુ પણ પડે છે.

વધુમાં કહે છે આ ઉપરાંત પાંચ સ્ટીકને અડધો લીટર પાણીમાં હલાવી નાખવાથી એ સેનેટરાઇઝર બની જાય છે, જેને સ્પ્રેમાં ભરીને ધરમાં પણ છાંટી શકાય છે. આયુર્વેદમાંથી બનેલા સેનેટરાઇઝરથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે. સાથે એક અગરબત્તી પણ બનાવી છે જેનો ધૂમાડો લેવાથી શરદી, તાવ, ઉધરસમાં રાહત મળે છે અને કિટાણુંનો નાશ થાય છે. આ ઉપયોગની સાથે લોકો એકબીજાથી દૂર રહે અને ઘરમાં રહી લોકડાઉનને સમર્થન આપે.

મહેશભાઇએ સંપૂર્ણ દેશી ઔષધિઓમાંથી દેશી સેનેટરાઇઝર બનાવી વાયરસના સંક્રમણની સુરક્ષા આપવાનો જે પુરુષાર્થ કર્યો છે તેને લોકોએ આવકાર્યો છે.

(જીતેન્દ્ર રાદડિયા-રાજકોટ)