રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસ બન્ને સિંહ સાથે મેદાનમાં

અમદાવાદ: ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં કોન્ગ્રેસે પોતાના બે ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. મોડી રાત્રે કોંગ્રેસના મોવડી મંડળે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી બંનેને ચૂંટણી લડાવવાનો નિર્ણય લીધો છે. ભાજપમાં રહેલા પણ ભાજપની અવગણનાનો સામનો કરી રહેલા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને મદદ કરવાનો નિર્ણય કર્યો હોવાથી રાજ્યસભાની ચૂંટણીમાં બંને ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો કોંગ્રેસના મોભીઓએ ફાઈનલ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે,  આ બંને ઉમેદવારોએ તેમના ફોર્મ તો આ અગાઉ જ ભરી દીધા હતા. પરંતુ  ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસની સ્થિતિ નબળી પડી હતી. જેને કારણે કોઈ એક વ્યક્તિએ ફોર્મ પરત ખેંચવુ પડે તેમ હતું. જેને લઈને ખેંચતાણ હતી કે કોણ ફોર્મ પરત ખેંચશે.ત્યારે હવે કોંગ્રેસનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે.