અમદાવાદા: શહેરમાં અસામાજીક તત્વોના આંકત વધતો જઈ રહ્યો છે. આ આતંકને રોકવામાટે શહેર પોલીસ દિવસ રાત એક કરી કાર્યરત રહે છે. જેથી કરી આવા આતંક કરનારાને દામી શકે. વસ્ત્રાલમાં પણ ઉત્તરપ્રદેશ વાળી થઈ છે. જાહેરમાં આતંક મચાવનાર આરોપીઓ સામે પોલીસે તો કાર્યવાહી કરી છે. તંત્ર પણ આ મામલે કડક કાર્યવાહી કરી રહ્યું છે. આરોપીઓએ ગેરકાયદેસર બાંધકામ ઉભુ કર્યુ છે તે આરોપીઓના મકાનો એએમસી તોડી પાડશે અને લુખ્ખાઓને રોડ પર લાવી દેશે, આવી કાર્યવાહી થવી જ જોઈએ એટેલે બીજા ગુંડાઓ એમનેમ સુધરી જાય.
ગઈકાલે વસ્ત્રાલમાં આતંક મચાવનાર લુખ્ખાઓ સામે પોલીસે લાલઆંખ કરી છે, અને તંત્રએ પણ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે પોલીસને અને સ્થાનિકોને સાથ આપ્યો છે. ઉત્તરપ્રદેશના સીએમ યોગીની જેમ અમદાવાદમાં પણ AMCનું બુલડોઝર ફર્યુ છે. ગેરકાયદેસર બાંધકામ કરીને રહેતા આરોપીઓનું મકાન તોડી પડાયું છે. અમરાઈવાડીમાં લવજી દરજીની ચાલીમાં આ ડિમોલિશન કરવામાં આવ્યું છે. આરોપી રાજવીરસિંહ બિહોલાનું મકાન તોડી પાડવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનામાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. પોલીસ દ્વારા જે કામગીરી કરાઈ તેને લઈ આસપાસા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો.
