ઉંદરના ત્રાસથી વસ્ત્રાપુર તળાવનો વિકાસ મોંઘો પડશે..

અમદાવાદ: શહેરના જાણીતા વસ્ત્રાપુર તળાવમાં રીડેવલમેન્ટ કાર્ય શરૂ હાથ ધરવામાં આવ્યું છે. આ વર્ષ અંત સુધીમાં લેકની રીડેવલમેન્ટ કામગીરી પૂર્ણ થવા છે. ત્યારે વસ્ત્રાપુર લેકના રીડેવલમેન્ટ કામગીરી આડે ઊંદરોના ત્રાસથી તળાવના વિકાસ પાછળ અંદાજે 14 કરોડથી વધુ રકમનો ખર્ચ કરાશે.

હાલ તળાવમાં વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે અહીં ઊંદરનો ત્રાસ હોવાની માહિતી મળી હતી. આ વચ્ચે મળતી માહિતી અનુસાર મ્યુનિ. તંત્રે દાવો કર્યો છે કે, તળાવમાં વોકવે સહિત જરૂરી જગ્યાએ કાચનું લેયર પાથરીને માટી નાખી આરસીસી કે પેવરબ્લોક કરાશે તો ઊંદરનો ત્રાસ નહીં રહે. જોકે તળાવમાં કરેલું કામ કેટલું ચાલશે તેની કોન્ટ્રાક્ટરે કોઇ ગેરંટી આપી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઊંદરોના લીધે મ્યુનિ.નું બજેટ ત્રણ કરોડ વધી ગયું હોવાનું મનાય છે. અગાઉ તળાવના વોકવે સહિતના વિકાસ પાછળ પાંચ કરોડના ખર્ચનો અંદાજ મુકાયો હતો. આ પછી કાચના લેયર સહિતના કામ વધી જતાં રૂપિયા ત્રણ કરોડનો વધારો કરાતા રિવાઇઝ ટેન્ડર કુલ આઠ કરોડનું થઇ ગયું છે. બજેટ વધ્યા પછી પણ ઉંદરો નહીં આવવાની ગેરંટી અપાઇ નથી. વસ્ત્રાપુર તળાવમાં ચાલવા જતાં લોકોને ઉંદરો જોવા મળે છે. કેટલાક સ્થળોએ માટીમાં મોટા હોલ થઇ ગયા છે. મ્યુનિ.એ ઉંદરોના ત્રાસને દૂર કરવા રિવાઇઝ ટેન્ડર કરી આપ્યું છે. જેમાં વોકવે સહિત ઉપર અને નીચના ભાગમાં માટી કાઢયા પછી એક મીટર નીચ કાચનું લેયર પાથરવાનું અને તેના પર માટી નાંખી, આરસીસી કે પેવરબ્લોકનું કામ કરાશે.