ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર વિદેશ મંત્રી એસ જયશંકરનું પહેલું નિવેદન

ભારત અને પાકિસ્તાન વચ્ચે તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે ટ્વિટ કર્યુ હતું. ત્યારે બાદ ભારતે પણ યુદ્ધ વિરામની પુષ્ટી કરી છે. આજે સાંજે 5 વાગ્યાથી કોઈ પણ પ્રકારનું ફાયરિંગ અને લશ્કરી કાર્યવાહીને રોકવાની સમજૂતી થઈ છે.

આ અંગે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાન આજે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે. ભારતે આતંકવાદ સામે તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે સતત મક્કમ અને અડગ વલણ જાળવી રાખ્યું છે અને તે આમ કરવાનું ચાલુ રાખશે.

ટ્રમ્પે ટ્વિટ કર્યું

આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે બંને દેશો વચ્ચે લાંબી ચર્ચા બાદ બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થયા છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ એમ પણ કહ્યું કે છેલ્લા 48 કલાકમાં, ઉપરાષ્ટ્રપતિ વાન્સ અને મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શાહબાઝ શરીફ, વિદેશ પ્રધાન એસ જયશંકર, આર્મી ચીફ અસીમ મુનીર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિત વરિષ્ઠ ભારતીય અને પાકિસ્તાની અધિકારીઓ સાથે વાત કરી છે અને યુદ્ધવિરામ પર સંમતિ સાધી છે.