હોળી પર વિવાદિત ટિપ્પણી કરવી ફરાહ ખાનને પડી ભારે!

મુંબઈ: બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન વિવાદના વંટોળમાં ફસાયા છે. ફરાહ ખાન પર હિંન્દુ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેની સામે મુંબઈમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. હિંદુઓના પવિત્ર તહેવાર હોળી પર વિવાદસ્પદ કોમેન્ટ કરવાના કારણે તેની સામે FIR નોંધાઈ છે. આ ફરિયાદ હિન્દુસ્તાની ભાઉના નામથી ફેમસ વિકાસ પાઠકે પોતાના વકીલ અલી કાશિફ ખાન દેશમુખ દ્વારા નોંધાવી છે. ફરાહ ખાન પર આરોપ છે કે, તેણે હોળી માટે એક અપમાનજનક શબ્દનો પ્રયોગ કર્યો છે, જેનાથી હિંદુ સમુદાયની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે ફરાહ ખાન વિરુદ્ધ અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે, આ મામલે આગળ શું કાનૂની પગલાં લેવામાં આવે છે? હાલમાં આ વિવાદ પર ફરાહ ખાન તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી.

આ મામલે મુંબઈના ખાસ પોલીસ સ્ટેશનમાં 21 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ સમગ્ર વિવાદ ટેલિવિઝન શો ‘સેલિબ્રિટી માસ્ટરશેફ’ના એક એપિસોડ દરમિયાન શરૂ થયો હતો. 20 ફેબ્રુઆરીના રોજ ટેલીકાસ્ટ થયેલા સેલિબ્રિટી માસ્ટરશેફના શો પર આ વિવાદસ્પદ કોમેન્ટ કરવામાં આવી હતી. આ શો માં ફરાહ ખાન જજની ભૂમિકા નિભાવી રહ્યા છે. ફરાહ ખાને સેલિબ્રિટી માસ્ટરશેફ શો માં વિવાદસ્પદ કોમેન્ટ કરતા કહ્યું કે, ‘હોળી છપરીઓનો ફેવરિટ તહેવાર છે.’ હવે તેની આ કોમેન્ટથી વિવાદ ઊભો થઈ ગયો છે. તેના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકોએ નારાજગી વ્યક્ત કરી અને તેને ખૂબ ટ્રોલ કરી. હિન્દુસ્તાની ભાઉનું કહેવું છે કે, આ કોમેન્ટ ન માત્ર મારા વ્યક્તિગત ધાર્મિક વિશ્વાસને ઠેસ પહોંચાડનારી હતી, પરંતુ તે સમગ્ર હિંદુ સમાજ માટે પણ અપમાનજનક હતી. ફરાહ ખાનના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પણ ખૂબ બબાલ મચી ગયો છે. લોકો તેને સતત ટ્રોલ કરી રહ્યા છે અને ગુસ્સે ભરાયેલા લોકોએ માફીની માગ કરી રહ્યા છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર એ સવાલ પણ ઉઠાવી રહ્યા છે કે, બોલિવૂડ સેલિબ્રિટિઝ હિંદુ તહેવારોની મજાક કેમ ઉડાવે છે? બીજી તરફ ઘણા લોકો ફરાહ ખાન સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. કેટલાક સંગઠનોએ પણ ફરાહ ખાનના નિવેદનની નિંદા કરી છે અને આ મામલે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.