31 માર્ચ સુધી આ 7 મહત્વપૂર્ણ કામ કરી લો

2022-23 સમાપ્ત થવામાં માત્ર 3 દિવસ બાકી છે. ત્યારે દરેક કચેરી અને કંપનીઓ ફટાફટ પોતાના કામ કરી રહી છે. જો થોડી પણ ચૂક થાય તો નુકસાન થઇ શકે છે. હવે જયારે માત્ર આ 3 દિવસ જ બાકી હોય ત્યારે તમારે ઝડપથી આ 7 મહત્વપૂર્ણ કામો પુરા કરી દેવા જોઈએ, તમારે PAN-આધાર લિંક અને સુકન્યા ખાતામાં ન્યૂનતમ રકમ જમા કરાવવી, મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન સહિતના 7 જેવા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવાના છે. જો તમે આ કામ નહી કરો તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અમે તમને આ 7 મહત્વકાર્યો વિશે જણાવી રહ્યા છીએ, જેથી કરીને તમે આ 7 કર્યો ૩ દિવસમાં કરી શકો અને મુશ્કેલીથી બચી શકો.

1. આધાર-PAN લિંક

જો તમે હજુ સુધી તમારા PAN ને આધાર સાથે લિંક કરાવ્યું નથી, તો તેને ઝડપથી લિંક કરાવી દો. જો તમે 31 માર્ચ, 2023 સુધી આ નહીં કરો તો તમારું PAN નિષ્ક્રિય થઈ જશે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) 30 જૂન, 2022 થી PAN ને આધાર સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની લેટ ફી વસૂલ કરી રહ્યું છે. હવે માત્ર ૩ જ દિવસ બાકી છે તો ઝડપથી PAN સાથે આધારને લિંક કરાવી દો.

2. ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ

નાણાકીય વર્ષ 2022-23 પૂર્ણ થવામાં માત્ર ૩ જ દિવસ બાકી છે એવામાં જો તમે હજુ સુધી ટેક્સ રોકાણ કર્યું નથી, તો જલ્દી કરો. તમે PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, 5 વર્ષની FD અને ELSS વગેરેમાં રોકાણ કરીને કલમ 80C હેઠળ ટેક્સમાંથી મુક્તિ મેળવી શકો છો. આ માટે તમારે આવી સ્કીમમાં 31 માર્ચ સુધીમાં રોકાણ કરવાનું રહેશે. તો ઝડપથી ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ કરો.

૩. મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન

નાણાકીય વર્ષ 2022-23 પૂર્ણ થવમાં માત્ર ૩ જ દિવસ બાકી છે અને જો તમે હજુ સુધી પણ મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ કરી ન હોય, તો આ કામ શક્ય તેટલું ઝડપથી કરો. તમામ ફંડ હાઉસે આ માટે 31 માર્ચની સમયમર્યાદા નક્કી કરી છે. એટલે કે તમારી પાસે માત્ર ૩ જ દિવસ છે. જો તમે આ ૩ દિવસમાં આવું નહિ કરો તો તમારું મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે.

4. PM વય વંદના યોજનામાં રોકાણ

સિનીયર સિટીઝન માટે PM વય વંદના યોજનામાં રોકાણએ વરદાનરૂપ સાબિત થઇ શકે છે. જો કોઈ સિનીયર સિટીઝન આ યોજનામાં રોકાણ કરવા માગે છે, તો તેઓ 31 માર્ચ, 2023 સુધી જ કરી શકશે એટલે કે હવે માત્ર ૩ જ દિવસ છે. સરકારે આ યોજનાને આગળ વધારવા માટે કોઈ નોટિફિકેશન બહાર પાડ્યું નથી. આવી સ્થિતિમાં, તમે માર્ચ 2023 સુધી જ તેમાં રોકાણ કરી શકો છો. તે 60 વર્ષ અને તેથી વધુ વયના નાગરિકો માટે પેન્શન યોજના છે.

5. PPF અને સુકન્યા ખાતામાં ન્યૂનતમ રકમ જમા કરો

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને સુકન્યા ખાતામાં ન્યૂનતમ રકમ જમ કરવી જરૂરી છે. જો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં પણ રોકાણ કરો છો, તો 31 માર્ચ સુધીમાં આ ખાતામાં ન્યૂનતમ રકમ જમા કરો. જો તમે 31 માર્ચ સુધીમાં 500 રૂપિયાની ન્યૂનતમ રકમ જમા નહીં કરાવો તો તમને દંડ થઈ શકે છે. આ સિવાય સુકન્યા ખાતામાં ન્યૂનતમ રકમ રૂ. 250 જમા કરાવવાની રહેશે. તમને જણાવી દઈએ કે આ બંને બચત યોજનાઓમાં તમારે દર નાણાકીય વર્ષમાં ન્યૂનતમ રકમ (સરકાર દ્વારા નિર્ધારિત) જમા કરાવવી પડશે. નાણાકીય વર્ષ 2022-23 માટે લઘુત્તમ રકમ જમા કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે એટલે કે હવે માત્ર ૩ જ દિવસ બાકી છે.

6. SBIની અમૃત કલશ યોજનામાં રોકાણ

SBIની આ અમૃત કલશ યોજના ફિક્સ ડિપોઝિટ કરનાર નાગરિકો માટે સારી યોજના છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની નવી ફિક્સ ડિપોઝિટ સ્કીમ અમૃત કલશ આ મહિને સમાપ્ત થવા જઈ રહી છે. આ અંતર્ગત સિનીયર સિટીઝનને 7.6 ટકા અને અન્યને 7.1 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. વ્યક્તિએ આ ફિક્સ ડિપોઝિટ સ્કીમમાં 400 દિવસ માટે રોકાણ કરવું પડશે. એટલે કે હવે આ સ્કીમનો લાભ લેવા માત્ર ૩ જ દિવસ બાકી છે.

7. અપડેટ કરેલ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું

દર નાણાકીય વર્ષ પૂરું થતા પહેલા ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી હોય છે. નાણાકીય વર્ષ 2019-20 અથવા મૂલ્યાંકન વર્ષ 2020-21 માટે અપડેટેડ આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 છે. અપડેટેડ રિટર્ન સંબંધિત આકારણી વર્ષના 24 મહિનાની અંદર કોઈપણ વ્યક્તિ ફાઇલ કરી શકે છે. આવકવેરા રિટર્નમાં કોઈ વિસંગતતાના કિસ્સામાં, અપડેટેડ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવે છે.