મહારાજ વિવાદ પર ડિરેક્ટરે તોડ્યું મૌન, કહ્યું-આ ફિલ્મ ધર્મ વિરોધી નથી

મુંબઈ: આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની ફિલ્મ ‘મહારાજા’ વિવાદનો શિકાર થઈ એ સૌ કોઈ જાણે છે. હવે આ ફિલ્મના વિવાદને લઈ ડિરેક્ટરે નિવેદન આપ્યું છે. ‘વી આર ફેમિલી’ અને ‘હિચકી’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરનાર દિગ્દર્શક સિદ્ધાર્થ પી મલ્હોત્રાની ફિલ્મ ‘મહારાજ’ને OTT પ્લેટફોર્મ Netflix પર સ્ટ્રીમ કરવામાં આવી છે. આ ફિલ્મ દ્વારા આમિર ખાનના પુત્ર જુનૈદ ખાને ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ ઘણા વિવાદોમાં રહી હતી.

(જુનૈદ ખાન, ડિરેક્ટર સિદ્ધાર્થ પી મલ્હોત્રા અને જયદીપ અહલાવત)

દૈનિક ભાસ્કર સાથે વાત કરતા સિદ્ધાર્થે કહ્યું હતું કે જાણ્યા વગર લોકોએ ફિલ્મને ધર્મ વિરોધી ગણાવી. જ્યારે આ ફિલ્મ માનવતા દર્શાવે છે. હું ખૂબ જ હળવાશ અનુભવું છું. આ ફિલ્મની સફર ઘણી લાંબી છે. જ્યારે આપણે વાર્તા કહીએ છીએ, ત્યારે અમે મનોરંજનની સાથે સંદેશ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે કોઈ વિવાદ માટે ફિલ્મો નથી બનાવતા. પૂરા જોશ અને દિલથી બનાવેલ છે.

ફિલ્મ બનાવવામાં જેટલો સમય લાગ્યો તે કંઈ જ નહોતું. પરંતુ તે પછી જે ઉતાર-ચઢાવ આવે છે તે બીજા કોઈ સાથે ન થવું જોઈએ. આ ફિલ્મ ટીઝર અને ટ્રેલર લૉન્ચ કર્યા વિના જ રિલીઝ કરવામાં આવી છે.

રિલીઝ વખતે ફિલ્મનું કોઈ પ્રમોશન નહોતું?

લોકો નેપોટિઝમ વિશે વાત કરતા હતા કે આમિર ખાન ફિલ્મનું પ્રમોશન કરશે. તેથી મેં તેના પુત્ર જુનૈદને ફિલ્મમાં કાસ્ટ કર્યો છે, પરંતુ આમિર ફિલ્મના પ્રમોશન માટે આવ્યો નથી. યશ રાજ અને નેટફ્લિક્સે પણ ફિલ્મનું પ્રમોશન કર્યું નથી. આ ફિલ્મ માટે અમે અમારી ટીમ સાથે તમામ મહેનત કરી છે. તે ફિલ્મ દ્વારા દેખાઈ રહી છે. આ અમારી સૌથી મોટી જીત છે.

આ ફિલ્મના પ્રમોશન માટે પણ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. 40 પાનાની માર્કેટિંગ યોજના કરવામાં આવી હતી. એક પાનું પણ પૂરું થઈ શક્યું નથી. જ્યારે ફિલ્મનું પોસ્ટર આવ્યું ત્યાં જ તેના પર હોબાળો મચી ગયો હતો. ફિલ્મ જોયા વિના પણ લોકોએ માની લીધું કે આ ફિલ્મ ધર્મની વિરુદ્ધ છે. જ્યારે અમે ફિલ્મ લખવાનું શરૂ કર્યું ત્યારે અમને લાગ્યું કે આ ફિલ્મ ધર્મની વિરુદ્ધ નહીં પરંતુ ધર્મ અને માનવતાના હિતમાં બનાવીશું.

આ ફિલ્મ ધર્મ વિશે નથી પરંતુ પત્રકાર કરસનદાસ મૂળજી વિશે છે. જેઓ સતી પ્રથા વિરુદ્ધ અને વિધવા પુનર્લગ્ન અને બીજી ઘણી બાબતો માટે સમાજ સુધારક હતા.