છત્તીસગઢમાં મોટી દુર્ઘટના, 18 લોકોના મોત

કવર્ધા જિલ્લાના કુકદુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે એક પીકઅપ ખીણમાં પડી હતી જેમાં 18 લોકોના મોત થયા હતા.જ્યારે ચાર ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ કારમાં 25 લોકો સવાર હતા. મૃત્યુઆંક હજુ વધી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે પીકઅપ પર સવાર મજૂરો તેંદુના પાન તોડીને પરત ફરી રહ્યા હતા. આ ઘટના બહુપાણી ગામ પાસે બની હતી.

સીએમ વિષ્ણુ દેવ સાંઈએ દુઃખ વ્યક્ત કર્યું

સીએમ વિષ્ણુ દેવ સાઈએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે કબીરધામના બાહપાની ગામ પાસે એક પીકઅપ પલટી જવાથી 18 ગ્રામજનોના મોત અને 4 લોકોને ઈજા થવાના દુઃખદ સમાચાર મળ્યા છે. તેમણે ઘાયલોની સારી સારવાર માટે જિલ્લા પ્રશાસનને જરૂરી સૂચનાઓ આપી છે. દિવંગત આત્માઓને શાંતિ મળે અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ.