CBDTએ ઇન્કમ ટેક્સ રિટર્નની છેલ્લી તારીખ વધારીને 30 સપ્ટેમ્બર, 2020 કરી

નવી દિલ્હીઃ સરકારે નાણાકીય વર્ષ 2018-19 માટે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ બે મહિના એટલે કે 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. આવકવેરા વિભાગે કહ્યું છે કે કોરોના વાઇરસના રોગચાળાને ધ્યાનમાં રાખતાં આવકવેરાદાતાઓને રાહત આપતાં કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે (CBDTએ)  નાણાકીય વર્ષ 2018-19 (આકલન વર્ષ 2019-20) માટે આવકરવેરા રિટર્ન ભરવાની તારીખ 31 જુલાઈ,2020થી વધારીને 30 સપ્ટેમ્બર, 2020 કરી દીધી છે. જોકે નાણાકીય વર્ષ 2018-19ના મૂળ અથવા સંશોધિત આવકવેરા રિટર્ન ભરવાની તારીખ ત્રીજી વાર વધારવામાં આવી છે.

ત્રીજી વાર ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વધારાઈ

CBDTએ આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ પહેલાં 30 જૂન સુધી વધારવામાં આવી હતી. નાણાં વર્ષ 2018-19 માટે 31 માર્ચ, 2020 સુધી ITR ભરવાનું હતું. જોકે એને 30 જૂન સુધી વધારવામાં આવી હતી, પછી એને વધારીને 31 જુલાઈ છેલ્લી તારીખ કરવામાં આવી હતી અને હવે એને વધારીને 30 સપ્ટેમ્બર, 2020 કરવામાં આવી છે.

CBDT કેમ વધારી રહ્યું છે તારીખ

CBDTએ જણાવ્યું હતું કે અત્યાર સુધી રિટર્નના ફાઇલિંગથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરવાથી એવા ટેક્સપેયર્સની માહિતી મળી છે, જેમણે ઘણી વધારે લેવડદેવડ કરી છે, પણ એમણે એસેસમેન્ટ યર 2019-20 (નાણાકીય વર્ષ 2018-19ના સંદર્ભમાં) રિટર્ન ભર્યું નથી.રિટર્ન નહીં ભરવાવાળા સિવાય રિટર્ન ફાઇલ કરવાવાળા કેટલાય લોકોની ઓળખ થઈ છે, જેમણે વધુ નાણાના વ્યવહારો અને તેમના આવકવેરા રિટર્ન આપસમાં મેળ નથી ખાતાં.

ઈ-કેમ્પેન 31 જુલાઈ, 2020એ પૂરું

વિભાગે જણાવ્યું હતું કે 11 દિવસો સુધી ચાલનારા ઈ-કેમ્પેન 31 જુલાઈ, 2020એ પૂરું થશે અને આ દરમ્યાન આ લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમમણે રિટર્ન ભર્યું છે અથવા તેમના રિટર્નમાં કેટલીક ખામીઓ છે. આ કેમ્પેન હેઠળ આવકવેરા વિભાગ ઓળખી કાઢવામાં આવેલા ટેક્સપેયર્સને ઈમેઇલ અથવા SMS મોકલશે. જેથી પ્રાપ્ત સૂચના અનુસાર તેમના નાણાકીય વ્યવહારોને વિગતવાર ચકાસી શકાય.

આવકવેરા વિભાગને આ સૂચના નાણાકીય વ્યવહારોની વિગતો Statement of Financial Transactions (SFT), Tax Deduction at Source (TDS), Tax Collection at Source (TCS), Foreign Remittances (Form 15CC) જેવા દસ્તાવેજોમાંથી મળી છે.

બોર્ડે કહ્યું છે કે ઈ-ઝુંબેશનો હેતુ ટેક્સપેયર્સને ટેક્સ અથવા નાણાકીય વ્યવહારો સંબંધી માહિતી ઓનલાઇન ખરાઈ કરવામાં મદદ કરવાનો અને સ્વૈચ્છિક સ્વીકારને પ્રોત્સાહન આપવાનો છે. આ કેમ્પેન હેઠળ ટેક્સપેયર્સ પોર્ટલ પર નાણાકીય વ્યવહારો સંબંધી એક્સેસ કરી શકશો અને ઓનલાઇન રિસ્પોન્સ પણ સબમિટ કરી શકશો, જેનાથી તેમણે ઇન્કમ ટેક્સ ઓફિસ નહીં જવું પડે.