પેરાસિટામોલ સહિત જીવન આવશ્યક દવાઓ 40થી 70 ટકા મોંઘી

અમદાવાદઃ ચીનમાં કોરોના વાઇરસ કહેરને લીધે સપ્લાય ચેઇનમાં વિક્ષેપ પડતાં ફાર્મા ઉદ્યોગ પર એની પ્રતિકૂળ અસર પડી છે. કોરાના વાઇરસની ઘેરી અસર ફાર્માં ઇન્ડસ્ટ્રી અને મોબાઇલ ઉદ્યોગ પર પડી છે. ચીનથી આવતાં જરૂરી ફોર્મ્યુલેશન અચાનક ઠપ પડી ગયાં છે, જેનાથી ફાર્મા ઉદ્યોગનો પડતર ખર્ચ વધી ગયો છે. જેને કારણે દૈનિક ધોરણે ઉપયોગમાં લેવાતી દવાઓ 70 ટકા સુધી મોંઘી થઈ ગઈ છે. કોરોના વાઇરસને કારણે પેરાસિટામોલની કિંમતો 40 ટકા સુધી વધી ગઈ છે. જ્યારે બેક્ટરિયલ ઇન્ફેક્શનમાં વપરાતી એન્ટિબાયોટિક એજિથ્રોમાઇસિનની કિંમતો 70 ટકા સુધીનો વધારો થયો છે.

આગામી દિવસોમાં પણ કિંમતોમાં ઓર વધારો થશે

આગામી મહિના પહેલા સપ્તાહ સુધી સપ્લાય ચેઇનમાં સુધારો નહીં થાય તો ફાર્માં ઉદ્યોગની મુશ્કેલીઓમાં ઓર વધારો થવાની શક્યતા છે. ફાર્મા કંપનીઓને એપ્રિલથી શરૂ થનારા ડ્રગ ફોર્મ્યુલેશનમાં ઘટાડાનો સામનો કરવો પડશે. જેને કારણે જીવન આવશ્યક દવાઓની કિંમતો વધવાની સંભાવના છે.

કોરોના વાઇરસની અસર ભારરતીય અર્થતંત્ર પર એની અસર જોવા મળી છે, ચીનમાં ઉત્પાદન ઠપ પડવાને લીધે ભારત નહીં પણ વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. દેશમાં ચીનથી આયાત થનારા કાચા માલ પર જ નિર્ભર રહેવું પડશે.