કોરોનાનો કહેરઃ મુકેશ અંબાણીને પણ થઇ રહયું છે નુકસાન

નવી દિલ્હીઃ કોરોના વાઇરસનો કહેર ચીનથી બહાર વિશ્વનાં શેરબજારોમાં વ્યાપી ગયો છે. ભારતીય શેરબજાર છ ટ્રેડિંગ સેશનથી સતત ઘટી રહ્યાં છે. છેલ્લા છ દિવસમાં રોકાણકારોના રૂપિયા 10 લાખ કરોડ સ્વાહ થયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વર્ષમાં પાંચ અબજ ડોલરની સંપત્તિ ગુમાવી ચૂક્યા છે, જેમાં સૌથી વધુ પાછલા 15 દિવસમાં તેમણે નુકસાન વેઠવું પડ્યું છે. છે 11 દિવસમાં શેરબજારમાં રિલાયન્સને આશરે 54,000 કરોડનું નુકસાન થયું છે.

રિલાયન્સ સિવાય અનેક ઉદ્યોગપતિઓ પર કોરોનાનો કહેર

રિલાયન્સના ચેરમેન સિવાય આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાને 884 મિલિયન ડોલરની સંપત્તિ ઘટી છે. છેલ્લા બે મહિનામાં આઇટી દિગ્ગજ અઝીમ પ્રેમજીને 869 મિલિયન ડોલરનું નુકસાન થયું છે, જ્યારે ગૌતમ અદાણીને 496 મિલિયન ડોલરનું નુકસાન થયું છે.

આ સિવાય જે શેરો ગગડ્યા છે એ ઉદય કોટક અને સન ફાર્માના દિલિપ સંઘવીને ભારે નુકસાન થયું છે. આ ઉદ્યોગપતિઓને સૌથી મોટું નુકસાન પાછલા 15 દિવસોમાં થયું છે. 12 ફેબ્રુઆરીથી  અત્યાર સુધી 11 સેશન્સમાં સેન્સેક્સ 3000 પોઇન્ટ તૂટ્યો છે. આવામાં આ મોટા ઉદ્યોગપતિઓની સંપત્તિમાં 11.52 લાખ કરોડનો ચૂનો લાગ્યો છે. આ સિવાય તાતા ગ્રુપની કંપનીઓને પણ રૂ. 41,930 કરોડનું મોટું નુકસાન થયું છે.