કાબેલ અને સક્ષમ મહિલાઓ માટે અનામત ક્યાં?

હાલમાં જ મહિલા અનામત બિલ સંસદમાં પસાર કરવામાં આવ્યું છે, જે ચોક્કસપણે એક આવકાર્ય પગલું છે અને મહિલાઓના સશક્તીકરણમાં, મહિલાઓની જાહેર જીવનમાં ભૂમિકા વધારવામાં ઉપયોગી પુરવાર થઇ શકે એમ છે, પણ એક વાત એવી પણ છે, જે મને અંગત રીતે ખૂંચે છે. મહિલાઓને અનામત અપાય એની સામે વાંધો હોઈ જ ન શેક, પણ સાથે-સાથે મહિલાઓની યોગ્યતા કે ગુણવત્તાને આધારે પસંદગી બાબતે કોઇ સ્પષ્ટતા કેમ ક્યાંય દેખાતી નથી?

હું આ મુદ્દો એટલા માટે ઉઠાવી રહી છું, કેમ કે છેલ્લા ત્રણ દાયકાઓમાં મોટી સંખ્યામાં ભારતીય મહિલાઓ શિક્ષિત થઈ છે. કંપનીઓમાં નોકરીઓ કરતી થઈ છે અને વિવિધ ઓર્ગેનાઇઝેશનમાં લાયક હોવા છતાં નેતૃત્વની ભૂમિકામાં (ઊંચાં પદો મેળવવા) જગ્યા મેળવવા સંઘર્ષ કરી રહી છે. એ વાસ્તવિકતા છે કે ઘણી મહિલાઓ મહત્ત્વાકાંક્ષી અને સક્ષમ હોય છે તો સમાજ હંમેશ એવી મહિલાઓની મહત્વાકાંક્ષા અને ચરિત્ર પર સવાલો ઊભો કરતો રહ્યો છે અને જે લોકો વિનમ્ર, સાલસ અને રાજકીય ખટપટોમાં વ્યસ્ત હોય છે તેઓ સરળતાથી ટોચે પહોંચી જાય છે.

સાહસી અને લગનથી કામ કરતી સક્ષમ મહિલાઓમાં સ્વાભિમાનની સાથે સાથે સમાજ માટે કંઈક કરવા છૂટવાની ખેવના પણ હોય છે. તે કાર્યસ્થળે સિદ્ધાંતો અને મૂલ્યો સાથે ક્યારેય સમજૂતી નથી કરતી અને ના તો પોતે સહન કરે છે અને શોષણ થવા દે છે. આમ કરવાના બદલે પ્રતિકાર અને અપમાનનો સામનો કરવા કરીને તે સિસ્ટમમાંથી બહાર નીકળી જવાનું વધુ પસંદ કરે છે.

હજી આજે પણ જૂની પેઢીના લોકોને અને સમાજમાં જે વ્યક્તિ ઊંચા પદે બેઠી છે, તેમને કાર્યસ્થળે સક્ષમ મહિલાઓની સાથે કામ કરવાનો પર્યાપ્ત અનુભવ નથી. તેઓ અસમંજસતા અથવા અસહજ અને અસુરક્ષિતતા અનુભવે છે. હવે જોકે મહિલાઓને ઊંચાં પદો પર પ્રોત્સાહન આપવા અને તેમને સામેલ કરવા માટે સામાજિક દબાણ વધી રહ્યું હોવાથી કારણે સંસ્થા, કંપનાના બોર્ડ અને નેતૃત્વ ટીમોમાં મહિલાઓને સામેલ કરવાના પ્રયાસ કરાઇ રહ્યા છે, પણ આ ટાસ્ક પૂરો કરવા માટે કહ્યાગરી મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ જ બાબત પુરુષો માટે પણ લાગુ પડે છે.જોકે એ વિકાસ માટે એક સુવ્યવસ્થિત તંત્ર બનાવવાના ઉદ્દેશને પૂરો નથી કરતી. જ્યારે આપણી પાસે બીજા સ્તરની લીડરશિપમાં કહ્યાગરા પુરુષ અને સ્ત્રી હોય ત્યારે એ માત્ર ખુરશી ચીટકી રહેવાનો સ્વાર્થ પૂરો કરે છે. પછી એ સંગઠનાત્મક અને સામાજિક લક્ષ્ય અને જરૂરિયાતોને ધ્યાનમાં નથી લેવામાં આવતું.

પણ અહીં સવાલ એ છે કે જે પ્રોત્સાહક બદલાવ લાવી શકે એવી સંભવિત અને ટેલેન્ટ ધરાવતી વ્યક્તિઓ ખાસ કરીને સક્ષમ અને સાહસિક મહિલાઓનો સ્વીકાર કરવા માટે શું આપણે પરિપક્વ થયા છીએ?

શૈક્ષણિક ક્ષેત્રે ત્રણ દાયકા કાઢ્યા પછી મેં શિક્ષિત અને પ્રતિભાશાળી મહિલાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો જોયો છે. તેઓ ટોચનાં પદો મેળવવા માટે સક્ષમ હોવા છતાં તેમને અડચણો આવે છે.

પુરુષોની જેમ મહિલાઓ સમજૂતી કરે છે અને આગળ વધે છે અથવા ઇમાનદારી, સાહસ અને આત્મવિશ્વાસથી હરીફાઈ કરવાના પ્રયાસ કરે છે.  બિનરાજકીય, હાર્ડ વર્કિંગ, ઇમાનદાર, સાહસી પુરુષ અને મહિલા- બંને જણને કાર્યસ્થળે નજરઅંદાજ કરવામાં આવે છે.

કેટલાક પ્રોફેશનલો પસંદ કરેલા કાર્યમાં નિષ્ણાત હોય છે અને તેમને જે કોઈ કામ આપવામાં આવે એ તેઓ કાર્યક્ષમતા કરે છે. તેઓ તેમનું કામ કામના કલાકો દરમ્યાન પૂરી લગનથી અને સ્વતંત્ર રીતે કરે છે. આવા કર્મચારીઓ ઓફિસોમાં વારંવાર નથી આવતા, પણ તેમના માલિક તેમના વિશે જાણતા હોય છે અને તેઓ તેમને ઓફિસના કલાકો બહાર મળતા પણ નથી હોતા. કેટલાક પ્રોફેશનલ્સ તેમના કાર્ય અને ફેમિલી પ્રત્યે યોગ્ય સંતુલન જાળવે છે. તેઓ ખુશામતખોર અને તુષ્ટિકરણ કરતા નેતાઓથી અંતર જાળવે રાખે છે. ખરેખર આ બાબત દેશને નુકસાન કરે છે, કેમ કે કેટલાક પુરુષો અને સ્ત્રીના વિચારો અને ક્ષમતા પરિણામ લાવી આપનારા હોય છે અને ઓર્ગેનાઇઝેશનને લાભદાયક હોય છે અને સમાજ માટે જરૂરી હોય છે.

જોકે આપણે જોઈએ છીએ કે મોટા ભાગે આવા કામનું શ્રેય લેભાગુ તત્વો લઈ જાય છે અથવા તેમના રાજકીય નેતાઓ દ્વારા આંચકી લેવામાં આવે છે, કારણ કે કોઈ પણ લેભાગુ તત્વ કે બિનસક્ષમ વ્યક્તિ જેતે ઇમાનદાર, હાર્ડવર્કિંગ વ્યક્તિને ધાકધમકી આપે છે. આ રીતે ઇમાનદાર પુરષ કે સ્ત્રી નિરાશ થઈ જાય છે અને સંસ્થા છોડીને ચાલી જાય છે. આ સાથે કદાચ તે દેશ પણ છોડીને જ્યાં તેની કદર કિંમત થાય છે ત્યાં જતા રહે છે.

આ સિવાય, વાસ્તવમાં સક્ષમ અને કાબેલ વ્યક્તિ ચરિત્રવાન પણ હોય છે, કેમ કે તેઓ ક્યારેય સમાધાન નથી કરતી અને નબળા બોસ- માલિકના કોઈ પણ નિર્દેશનું પાલન નથી કરતા અને સંસ્થા, સમાજ અને રાષ્ટ્રને નુકસાન થાય એવી કોઈ કામગીરી નથી કરતા. કાબેલ લોકો હંમેશા કાર્યસ્થળે અવ્યવહાર, ગેરવર્તણૂક અને અયોગ્ય કામ બાબતે સવાલો ઉઠાવતા જ રહે છે, કેમ કે એ કાર્યો તેમને વ્યવહારુ કે મૂલ્યવિહીન લાગતાં હોય છે.

આપણે તેમને કંપનીના વોટ્સગ્રુપમાં તેમના કાર્યની ખોટી પ્રશંસા કરવા થમ્સઅપ અને ક્લેપ ઇમોજી નથી મોકલી શકતા. આપણે તેમને ગપ્પાંગોષ્ઠિ કરતા કીટલીએ ક્યારેય નથી જોતા. તેઓ તેમના બોસીઝની બિનજરૂરી પ્રશંસા કે ટીકાટિપ્પણ કરવાથી બચે છે. તેમને પાવરફુલ લોબી દ્વારા નાપસંદ કરવામાં આવે છે અને તેમને ખોટા વલણાવાળા લોકો તરીકે દર્શાવવામાં આવે છે. તેઓ ગેરવર્તન કરનારા લોકોથી દૂર રહે અને તેમને માટે તેમની સાથે કામ કરવું મુશ્કેલભર્યું હોય છે. તેમને પસંદગીનાં ઊંચા પદો પર નથી બેસાડવામાં આવતાં અને જાણીબૂજીને છોડી દેવામાં આવે છે. વાસ્તવમાં આવા પુરુષો કે સ્ત્રીઓને સાઇડલાઇન કરવામાં આવે છે. તેમને હેરાન-પરેશાન કરવામાં આવે છે.

જો ખરેખર આપણે આવા પ્રતિભાશાળી પુરુષો અને સ્ત્રીઓની ક્ષમતાનો ઉપયોગ કરવો હોય તો શું આપણે સક્ષમ, આવા સાહસી લોકોના નેતૃત્વની ભૂમિકાઓનો સ્વીકાર કરવા માટે તૈયાર છીએ?

આપણે એ સમજવું પડશે કે નિયુક્ત કરેલી અને આગેવાની કરી રહેલી મહિલામાં યોગ્ય લાયકાત નહીં હોય તો તે પ્રતિભાશાળી મહિલાઓને આગળ વધવાની તકોને નષ્ટ કરી દેશે. આપણે ટોચે બેઠેલા સક્ષમ લોકોનો સ્વીકાર કરવાની માનસિકતામાં પરિવર્તન કરવાની જરૂર છે, પણ વિવિધ સંસ્થાઓમાં બેઠેલી પાવરફુલ લોબી યોગ્ય વ્યક્તિને યોગ્ય પદે બેસાડવા માટે અસુરક્ષા અનુભવશે અને એને ફાવવા નહીં દે.

એટલા માટે દેશના વિકાસનાં લક્ષ્યોને પૂરાં કરવા માટે કાર્યબળમાં 33 ટકા અનામત બિનરાજકીય, ઇમાનદાર, મહેનતુ મહિલાઓ હોવી જોઈએને?

(ડો. ઇન્દુ રાવ)

(લેખિકા પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, ગાંધીનગરમાં પ્રોફેસર અને ડીન તરીકે કાર્યરત છે.)