કબીરના મતે સાચા સંતનો સંગ એટલે…

સંત મિલે સુખ ઉપજૈ , દુષ્ટ મિલે દુઃખ હોય,

સેવા કીજૈ સંતકી, જનમ કૃતારથ હોય.

 

સંત, નદી અને તરુવરનો સ્વભાવ જ પરોપકારી છે. તેમનું અસ્તિત્વ સૌને માટે સુખકારક છે. આવા સાચા સંતની સેવાથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે મોક્ષદાયી હોય છે. ગુરુરૂપી સંતને પ્રસન્ન કરી તેની કૃપા પામવાથી જન્મ ધન્ય થઈ જાય છે. આનાથી વિપરીત જ્યારે દુર્જનનો પનારો પડે છે ત્યારે દુઃખ, કલેશ, ગ્લાનિ ઊપજે છે, હાનિ થાય છે.

બસી કુસંગ ચાહત કુશળ, યહી બડો અફસોસ કહીને રહીમજીએ રાવણ અને સમુદ્રનો દાખલો આપ્યો છે. રાવણ દરિયા મધ્યે લંકામાં વસ્યો.

દરિયાએ કુસંગમાં રહીને રામને સેતુબંધ માટે રસ્તો આપવા ઈન્કાર કર્યો. રામના ક્રોધનો ભોગ બનવાનો પ્રસંગ આવ્યો અને રામના સત્સંગે સમુદ્રને સાચી સમજણ આપી. સત્સંગનું મહત્ત્વ ઘટી રહ્યું છે, કારણ કે ઇન્દ્રિયોને બહેકાવતું સસ્તું મનોરંજન ઉપલબ્ધ થયું છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)