ભારતમાં પણ ફિપ્રોનિલ વિશે જાગરુકતા જરૂરી

યુરોપ આખામાં ઈંડામાં ફિપ્રોનિલ (ફિપ્રોનિલ એક વ્યાપક સ્પેક્ટ્રમ જંતુનાશક છે, જે ફિનાઇલપ્રોજોલ રાસાયણિકથી સંબંધિત છે, આ દૂષિત કીડો નસો અને માંસપેશીઓમાં હાઇપરેન્કિશનનું કારણ બને છે.) નામનું ઘાતક જંતુનાશક મળી આવ્યાં હતા. આ ઈંડાંની ઉત્પત્તિ હોલેન્ડનાં પોલ્ટ્રી ફાર્મ્સમાં થઈ હતી. આ પોલ્ટ્રી ફાર્મા પર ફાર્મો પર ફિપ્રોનિલના ગેરકાયદે ઉપયોગની તપાસને કારણે 180 મોટાં પોલ્ટ્રી બંધ થઈ ગયાં છે. સુપરમાર્કેટમાં ઈંડાથી સલાડ, સેન્ડવિચ અને માયોનીઝ જેવાં લાખ્ખો ઈંડાં આધારિત ઉત્પાદનો પરત ખેંચવામાં આવ્યાં છે. અત્યાર સુધી બેલ્જિયમ, નેધરલેન્ડ, જર્મની, ફ્રાન્સ, સ્વીડન, બ્રિટન, ઓસ્ટ્રિયા, આયર્લેન્ડ, ઇટાલી, લક્ઝમબર્ગ, પોલેન્ડ, રોમાનિયા, સ્લોવેનિયા, ડેન્માર્ક, સ્વિટઝર્લેન્ડ અને હોંગકોંગે પોતાનાં ઈંડાંઓમાં ફિપ્રોનિલ જોવા મળ્યું હતું.

માનવ ખાદ્યખોરાક માટેનાં કોઈપણ ઉત્પાદનમાં એના ઉપયોગની મંજૂરી નથી

ફિપ્રોનિલ એક જંતુનાશક છે, જે ઉપભોગ માટે પ્રાણીઓની આસપાસ હોય છે અને માનવ ખાદ્યખોરાક માટેનાં કોઈ પણ ઉત્પાદનમાં એના ઉપયોગની મંજૂરી નથી. એના સેવનના પ્રભાવથી પરસેવો, ઊલટી, ઊબકા, શિરદર્દ, પેટદર્દ, ચક્કર આવવાં, નબળાઈ અને એવું વારંવાર થવું. એ થાઇરોઇડ, યકૃત અને કિડનીને નુકસાન કરી શકે છે- જો મનુષ્યો દ્વારા એનું સેવન કરવામાં આવે તો.

યુનાઇટેડ સ્ટેટ્સ એનવાયર્ન્મેન્ટલ પ્રોટેક્શન એજન્સી દ્વારા એને સંભવિત માનવ કાર્સિનોજેનના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવ્યાં હતાં. જે વૈજ્ઞાનિકોએ ફિપ્રોનિલને ઉંદરોને ખવડાવવામાં આવ્યું હતું, એમનામાં વૃદ્ધિ થઈ હતી. એક અન્ય અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ ઉંદરોની પ્રજનન ક્ષમતા, સંભોગમાં ઘટાડો, ઓછી પ્રજનન ક્ષમતા અને ગર્ભાવસ્થાઓને વધતા નુકસાનને અસર કરવા લાંબા સમય સુધી ફિપ્રોનિલના સંપર્કમાં માલૂમ પડ્યું હતું. વૈજ્ઞાનિકોએ એ પણ લાંબી આવરદા ઘટાડે છે ને વંશના વિકાસમાં વિલંબ થાય છે.

પ્રારંભિક તપાસમાં એ માલૂમ પડ્યું હતું કે બેલ્જિયમમાં પોલ્ટ્રી વિઝન નામની કંપનીએ રોમાનિયાથી ફિપ્રોનિલ ખરીદ્યું હતું, એનું DEGA-16 સાથે મિશ્રણ કર્યું હતું. એને સફાઈ ઉત્પાદન તરીકે મંજૂરી આપવામાં આવી હતી અને એને હોલેન્ડમાં ચિકફ્રેન્ડને વેચી દેવામાં આવ્યું હતું, જેણે પણ પેસ્ટ કન્ટ્રોલ સર્વિસિસ રૂપે પોલ્ટ્રી ફાર્મ્સને વેચી દીધું હતું.

પોલ્ટ્રી ફાર્મ્સનો વહીવટ બહુ ખરાબ રીતે ચાલે છે અને ક્યારેય યોગ્ય આરોગ્ય નિરીક્ષકો દ્વારા એનું નિરીક્ષણ કરવામાં નથી આવતું. તેઓ લાંચ માટે વારંવાર આવ્યા કરે છે, જે જીવાતથી ભરેલાં હોય છે. લાલ જીવાત, જેને પોલ્ટ્રીની જીવાત તરીકે જાણીતી છે. આ ચિકન ચેપગ્રસ્ત હોય છે અને આ મરઘાં ઉપદ્રવ પણ કરે છે. આ જીવાતના ભારે સંક્રમણથી પુરુષોમાં પ્રજનન ક્ષમતા ઓછી થઈ જાય છે. મહિલાઓમાં ઈંડાંનું ઉત્પાદન અને યુવા પક્ષીઓમાં વજન વધી જાય છે. એ એનીમિયા અને મૃત્યુનું કારણ પણ બની શકે છે.

અન્ય જીવાંત જેવી કે સૂક્ષ્મ જીવાત પાંખોના શાફ્ટને આધારે દબાઈ જાય છે, જેનાથી તીવ્ર બળતરા થાય છે. પાંખો ખેંચવાથી ત્વચાના ઘા થાય છે. વિવિધ જીવાત ચિકનના વિવિધ ક્ષેત્રો પ હુમલા કરે છે. પાંખો પર જીવાત, લંગડાતા પગે જીવાત, ઉષ્ણકટિબંધ નાનાં મરઘાં પરની જીવાત. ચિગર્સ પાકના કણો, લાલ કીડાઓ ત્વચાની કોશિકાઓ પર જીવે છે અને ખાય છે. યાતનામય પક્ષીઓ ખાવાનો ઇનકાર કરે છે અને ભૂખમરા અને થાકને કારણે મરી શકે છે. આ અસંખ્ય જીવાતને રોકવા સારી સ્વચ્છતા પ્રથાઓનો ઉપયોગ કરવો મહત્ત્વપૂર્ણ છે, પણ મોટા ભાગની પોલ્ટ્રી ભારે રસાયણોનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.

જો ઈંડામાં ફિપ્રોનિલ છે તો એ સુવિદિત છે કે મરઘાંઓના માંસમાં પણ હશે. જો કોઈ ખેતરમાં કીટકોને મારવા ફિપ્રોનિલની સાથે કરવામાં આવે છે તો પ્રાણીઓની ત્વચા જંતુનાશક તત્ત્વો શોષી લેશે. જોકે ડચ ફૂડ સેફ્ટી એજન્સી NVWAના અધિકારીઓ મુજબ માંસ માટેનાં મરઘાંઓમાં આની તપાસ કરી રહ્યા છે.

શું પોલ્ટ્રીમાં ફિપ્રોનિલના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવો જોઈએ?

ગ્રેગ ઓએ એક બ્લોગ લખ્યો હતો કે હું લોસ એન્જલસ ક્ષેત્રમાં એક પ્રોફેસર છું અને ઈંડાઓમાં ફિપ્રોનિલ (ફ્રન્ટલાઇન) પર એક અભ્યાસ કરવા ઇચ્છું છું. ફ્રન્ટલાઇન એક સામાન્ય દવા છે, જે બિલાડી-કૂતરાઓને કાબૂમાં કરવા માટે વપરાય છે. કેટલાય લોકો પોતાના જથ્થાબંધ ચિકનમાં fleas (મધમાખી પ્રકારની એક જીવાત) અને જીવાતને નિયંત્રિત કરવા માટે ફ્રન્ટલાઇનનો ઉપયોગ કરે છે, પણ એ માલૂમ પડ્યું કે એના કોઈ ડેટા નથી કે સક્રિય ઘટક (ફિપ્રોનિલ) વાસ્તવમાં ઈંડાં બનાવે છે કે નહીં… જોકે ફ્રન્ટલાઇન ચિકન્સમાં અસરકારક હોય છે. જોકે એનો કોઈ ડેટા નથી કે એ લોહીમાં પ્રવેશ કરે છે અને પછી ઈંડાંમાં…હું એ અભ્યાસ કરવા ઇચ્છું છું કે શું એ ઈંડામાં મળી આવે છે.

શું તમે આ વર્ષે ફ્રન્ટલાઇનનો ઉપયોગ જથ્થામાં કરવા વિશે વિચાર કરી રહ્યા છો? જો હા, તો તમે મને bodhiroc@gmail.com. પર સંપર્ક કરી શકો છો. હું તમને કેકટલાંક ઈંડાં પોતાની મરઘાંને ફિર્નિલ આપતાં પહેલાં અને એના કેટલાંક સપ્તાહ માટે (પ્રત્યેક ઈંડા નહીં, માત્ર એક સપ્તાહ અથવા તો) આપવા માટે કહીશ. હું તમને અને પૂરા LAUCE સમુદાયની સાથે મારા પરિણામ વહેંચવાનું વચન આપું છું. ઈંડાં પર આ ઉપદ્રવ કેમ થાય છે, જ્યારે આપણા બધાં અનાજ અને શાકભાજીઓ પર ભારતમાં ફિપ્રોનિલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

રોન પોલ્કેન દ્વારા વિકસિત ફિપ્રોનિલવાસ અને 1993માં US પેટેન્ટ નંબર US પેટેન્ટ નંબર US 5,232,940 B2 હેઠળ બજારમાં રાખવામાં આવી હતી. 2003માં BASFએ ફિપ્રોનિલ આધારિત ઉત્પાદનો માટે પેટન્ટ અધિકાર રાખ્યા છે. એ ફિનાઇલપ્રોઝોલોકેમિકલ સંબંધિત છે. એ એક સફેદ પાઉડર હોય છે. જેનો ઉપયોગ જંતુનાશક ઉત્પાદનોમાં કીડીઓ, બીટલ્સ, વંદા, પિસ્સુ, ટિક, ઊધઈ, થ્રિપ્સ, રૂટવર્મ, વિવિલ, સ્ટેમ બોરર્સ, પ્લાન્ટ હોપર, લીફ ફોલ્ડરને મારવા માટે કરવામાં આવે છે.

આપણે જે ખાઈએ છીએ એના પર ફિપ્રોનિલનો ઉપયોગ કરે છે.અમારા જંતુનાશક, અશિક્ષિત ખેડૂતોને મફતમાં વહેંચવામાં આવે છે. આપણે એનો ઉપયોગ ઊધઈને નિયંત્રિત કરવા માટે થાય છે. આપણે એનો ઉપયોગ ગોલ્ફ કોર્સ અને કોમર્શિયલ ટર્ફ પર કરીએ છીએ. આપણે એનો ઉપયોગ મરચાં, ફળો અને કોબી પર કરવામાં આવે છે.

ઘરમાં તમે એને ડોગ અને બિલાડીઓ પર ટિક્સને નિયંત્રિત કરવાના ઉપયોગમાં લે છે. તમારે મોં અને આંખો પર રૂમાલ ઢાંકવાનો છે. પ્લાસ્ટિકના મોજાંનો ઉપયોગ કરવો જોઈએ અને ડોગની ડોક પર એક ટીપું નાખવાનું છે. અથવા વાળની નીચે સ્પ્રે કરવો જોઈએ. એને ચોપડવાનું નથી. કોઈ પણ કૂતરાને સ્ટ્રોક ના આપી શકે. એનો ઉપયોગ બીમાર અથવા વૃદ્ધ પ્રાણીઓ પર ના કરવામાં આવવો જોઈએ. એને ત્યાગતાં પહેલાં કાગળમાં બહુ સાવધાનીથી લપેટવામાં આવવું જોઈએ, જેથી એ બીજા કચરાને ઝેરી ના કરે. મારી હોસ્પિટલમાં એ કૂતરા પર એનો ઉપયોગ કરવામાં આવે છે, જે લોકો લાવે છે. એ જ અમારો અંતિમ ઉપાય છે, કેમ કે એના ઉપયોગ પછી એટલા બધા પ્રાણીઓ બીમાર થઈ ગયા છે. કેટલાકં પ્રાણીઓનાં અંગ ખોડંગાઈ ગયા છે. હું એને છોડવાની સલાહ નહીં આપું.

વેપારી ધોરણે રિજેન્ટ નામ હેઠળ એ પતંગિતા, તીડો, બીટલ અને થ્રિપ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ગોલિયેથ અને નેક્સાના નામ હેઠળ એનો ઉપયોગ વંદાઓ અને કીડીઓના નિયંત્રણ માટે કરવામાં આવે છે. ચિપકોક ચોઇસ નામ હેઠળ એનો ઉપયોગ કોમર્શિયલ લોન કેર, ગોલ્ફ કોર્સ, અને મકાઈનાં ખેતરોમાં કરવામાં આવે છે. એડોનિસ હેઠળ એનો ઉપયોગ તીડોના નિયંત્રણ માટે કરવામાં આવે છે. ટર્મિડોર, અલ્ટ્રાથોર અને અન્ય જીવાતોને રોકવા માટે કરવામાં આવે છે. એના ભારતીય નામો રેસ, ફિપજેન ફોર વીડ કન્ટ્રોલ, ફિપસ્કોટ, ઓફિસર, ફિપ્રો-સી5, ગેટ્ટર, રિપ્લેક્સ, પ્રિનોલ, ઈજેન્ટ્સ, વીગાર્ડ, હિમજેન્ટ, શાર્પ, ગ્લાઇડર, હાલ, ક્વેન્ચર, એજન્ટ-5 વગેરે નામો છે.

ફિપ્રોનિલ ઢોરો અને ખાસ કરીને ડેરીની ગાયો પર ઉપયોગ કરવાની મંજૂરી નથી, પણ ભારતમાં કેટલાક ફિપ્રોનિલ આધારિત ઉત્પાદન ડેરીઓ માટે ખુલ્લેઆમ જાહેરાત કરે છે. અભ્યાસો અનુસાર સ્તનપાન કરાવતાં પશુઓના દૂધના માધ્યમથી ફિપ્રોનિલનો સ્રાવ કરે છે. જેનાથી માનવ શરીરમાં સતત ઝેરીલાં તત્ત્વો પેદા થાય છે. WHOના જણાવ્યાનુસાર જો સમયની સાથે મોટા જથ્થામાં ભોજન કરવામાં આવે તો એ યકૃત, થાઇરોઇડ ગ્રંથિઓ અને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.

ફિપ્રોનિલ માટીમાં જતું રહે છે, જ્યાં એ એક વર્ષ સુધી રહે છે. એ માછલી, ક્રસ્ટેશિયન્સ અને પક્ષીઓ, મધમાખીઓ, સસલાં અને મરઘાં માટે એ વધુ ઝેરીલું હોય છે. અભ્યાસ જણાવે છે કે ખાસ પ્રકારનાં કીટકો માટે ક્ષેત્ર પરીક્ષણોમાં બિનલક્ષિત કીડાં પણ પ્રભાવિત થાય છે (સ્વાભાવિક રૂપથી એ એક ઝેર છે). મધમાખીઓ સૌથી પહેલાં પ્રભાવિત હોય છે. મે, 2003માં કૃષિ મંત્રાલયમાં ફ્રાન્સિસી ડિરેક્ટર જનરલે એ નિર્ધારિત કર્યું હતું કે દક્ષિણી ફ્રાંસમાં મોટા પાયે મધમાખીના મૃત્યુદર નો મામલો તીવ્ર ફિપ્રોનિલ ઝેરયુક્ત સંબંધિત હતું અને ફ્રાંસમનાં ફિપ્રોનિલયુક્ત પાક સુરક્ષા ઉત્પાદનોના વેચાણને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો.

ફિપ્રોનિલ મધમાખીઓના લાપતા થવા માટે દેષી રસાયણોમાંથી એક છે. યુરોપિયન ખાદ્ય સુરક્ષા સત્તાવાળાઓએ 2013ના એક રિપોર્ટના મધુકોશ માટે બીજ સારવારના રૂપમાં ઉપયોગ કરવા માટે ઉચ્ચ તીવ્ર જોખમના રૂપમાં ફિપ્રોનિલની ઓળખ કરી અને 16 જુલાઈ, 2013ને યુરોપિયન સંઘે (UN) યુરોપિયન સંઘની અંદર મકાઈ અને સનફ્લાવર્સમેં એના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા માટે મતદાન કર્યું હતું.

જો યુરોપને ખાદ્ય કારખાનાઓની દેખરેખની સમસ્યા થઈ રહી છે, તો તમે વિચારી શકો છો કે ભારતમાં શું થઈ રહ્યું છે, જ્યાં FSSAI પાસે કોઈ ઇન્સ્પેક્ટર્સ નથી અને નથી કોઈ ઉપકરણ, જેનાથી કાયદાનું સંચાલન થઈ શકે.

યુરોપે દોષીઓને આટલા જલદી કેવી રીતે પકડી લીધા? યુરોપિયન સંઘમાં પ્રત્યેક ઈંડાને એક સંખ્યાની સાથે મહોર લગાવવામાં આવે છે. ઉપભોક્તા ઉત્પાદન કરનારા દેશને કરી શકે છે અને ઈંડાં ક્યાં ફાર્મમાંથી આવ્યાં છે, એને મિડિયા એ દૂષિત ઈંડાંની સંખ્યાની યાદી પ્રકાશિત કરી છે. તમને માલૂમ નથી કે તમારાં ઈંડાં, માંસ અને દૂધ ક્યાંથી આવે છે?

(મેનકા ગાંધી)

(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો હવેથી ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)