ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ

ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ છે. જેમાં 9 દિવસમાં 1549 લોકો બેભાન થયા છે. તેમાં અમદાવાદમાં 40 દિવસમાં 9 હજારથી વધુ કોલ્સ ઈમરજન્સી સર્વિસને મળ્યા છે. 9 દિવસમાં હાઈફિવરના 1262 કેસ સામે આવ્યા છે. ગરમીથી ઝાડા-ઉલટીના 1784 કોલ્સ મળ્યા છે. તેમાં દર્દીઓને ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યા છે. તેમજ 40 દિવસમાં ગરમીથી બીમારીના 33 હજાર કોલ્સ મળ્યા છે.

ગુજરાતમાં કાળઝાળ ગરમીની અસરના કારણે છેલ્લા નવ દિવસમાં 1,549 લોકો ચક્કર ખાઈને બેભાન થયા છે, આવા દર્દીને સારવાર માટે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે મોકલવામાં આવ્યા છે. પેટમાં દુઃખાવો, ઝાડા ઉલટી, બેભાન કે અર્ધબેભાન થવું, માથાનો દુઃખાવો સહિતની વિવિધ ગરમીને લગતી બીમારીના ગુજરાતમાં છેલ્લા નવ દિવસમાં 7,342 કોલ્સ 108 ઈમરજન્સી સર્વિસને મળ્યા છે. પહેલી માર્ચથી 9મી માર્ચ સુધીમાં ગરમીને લગતી બીમારીના ગુજરાતમાં 32,984 કોલ્સ આવ્યા છે, જેમાંથી 7,034 કોલ્સ બેભાન થવાના છે.

heatwave

શહેરમાં છેલ્લા 40 દિવસના અરસામાં ગરમીને લગતી બીમારીના 9032 કોલ્સ આવ્યા છે, આ સમય ગાળામાં ગત વર્ષની સરખામણીએ કોલ્સમાં 20 ટકા જેટલો વધારો દેખાયો છે, અમદાવાદમાં જે 9032 કોલ્સ આવ્યા તેમાંથી બેભાન થવાના 1815 કેસ, પેટમાં દુખાવાના 3551, હાઈ ફિવરના 1481 અને ઝાડા ઉલટીના 1894 કેસ ઈમરજન્સી સર્વિસને મળ્યા છે. તબીબોનું કહેવું છે કે, ગરમીમાં ભર તડકે લોકોએ બહાર જવાનું ટાળવું જોઈએ, પાણી વધુ માત્રામાં પીવું જોઈએ. હીટવેવના કારણે રાજકોટ શહેર-જિલ્લામાં 18 લોકોને ગરમી-લૂ લાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન સન સ્ટ્રોકના બનાવમાં વધારો થયો છે. શહેર અને જિલ્લામાં 18 લોકોને લૂ-ગરમી લાગતા 108 સેવાના સ્ટાફે પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા હતા.