પંજાબી સિંગર દિલજીત દોસાંઝ આજ કાલ પોતાના કોનસલ્ટને લઈ ખુબ ચર્ચામાં રહે છે. ત્યારે આગામી 8 ડિસેમ્બરના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં દિલજીતના શોનું આયોજન કરવામાં આવ્યુ હતું. પરંતુ હવે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શઓનું બજરંગ દળે વિરોધ કર્યો છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના સભ્ય યશ બચાનીએ કહ્યું કે, બજરંગ દળ આ આયોજનના વિરોધમાં ફરી રસ્તા પર ઉતરી શકે છે અને માંસાહર તેમજ દારૂ પીરસાવવાનો વિરોધ કરશે. અમે અહીં તેનું નિરીક્ષણ કરવા અને એ સુનિશ્ચિત કરવા આવ્યા છીએ કે, પોલીસ પ્રશાસનની તરફથી મહિલાઓની સુરક્ષા માટે શું વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે અહીં થતી લવ જેહાદની ઘટનાને લઈને પણ સતર્ક છીએ. કૉન્સર્ટના વિરોધમાં બજરંગ દળ કાલે રસ્તા પર ઉતરી શકે છે.’
શનિવારે, બજરંગ દળના સભ્યોએ ‘જય જય શ્રી રામ’ અને ‘દેશ કા બલ, બજરંગ દલ’ જેવા નારા લગાવતા જોવા મળ્યાં. આ સમગ્ર મામલે ઝોન-2ના ડીસીપીએ આશ્વાસન આપ્યું કે, ઇન્દોર પોલીસ સ્થિતિને ગંભીરતાથી લઈ રહી છે.’ અમરેન્દ્ર સિંહે કહ્યું કે, ‘ઇન્દોર પોલીસ કાયદા-વ્યવસ્થાની સ્થિતિ, મહિલા સુરક્ષા અને નશાકારક દવાઓના દુરૂપયોગના મામલાને ગંભીરતાથી લે છે. અમે અહીં જાહેરમાં દારૂ પિરસવું અને તેના સેવનની સંમતિ નથી આપી. અમે દરેક વાતને ધ્યાનમાં લઈ રહ્યા છીએ.’ આપને જણાવી દઈએ કે ઇન્દોર પોલીસે દિલજીત દોસાંઝના સંગીત કાર્યક્રમ પહેલાં બે લોકોને ગેરકાયદે ઊંચી કિંમતે ટિકિટના વેચાણના આરોપમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. કાળાબજારીમાં સામેલ આરોપી ઓનલાઇન કૉન્સર્ટ ટિકિટ ખરીદી તેને 10 હજાર રૂપિયામાં વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) રાજેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ‘ક્રાઈમ બ્રાન્ચ ટિકિટના કાળાબજાર પર સતત નજર રાખી રહી છે.
