બેંકે અભિનેતા રાજપાલ યાદવની કરોડોની સંપત્તિ કરી સીલ

બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવ ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયા છે. બેંક દ્વારા અભિનેતાની કરોડોની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ કોઈ નવી વાત નથી પણ વર્ષ 2012નો મામલો છે. આ આખી ઘટના અભિનેતાની ફિલ્મ ‘આતા પતા લપતા’ સાથે સંબંધિત છે, જેનું દિગ્દર્શન રાજપાલે પોતે કર્યું હતું અને તેની પત્ની રાધા યાદવ તેની નિર્માતા હતી.

 

રાજપાલ યાદવે આ ફિલ્મ બનાવવા માટે બધું લગાવી દીધું હતું. તેણે આ ફિલ્મ માટે મુંબઈની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની બાંદ્રા શાખામાંથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. અભિનેતાએ આ ફિલ્મ બનાવવા માટે મુંબઈની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી લોન લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ લોન માટે તેણે ગેરંટી તરીકે પોતાના પિતાના નામે જમીન અને મકાન ગીરો રાખ્યું હતું. હવે સમાચાર છે કે લોનની ચુકવણી ન કરી શકવાને કારણે બેંકે શાહજહાંપુરમાં આવેલી તેમની કરોડોની સંપત્તિ, શેઠ એન્ક્લેવને જપ્ત કરી લીધી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજપાલે 3 કરોડ રૂપિયાની લોન લીધી હતી, જે વધીને 11 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

રાજપાલની સંપત્તિ પર બેંકનું બેનર
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈથી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓ બે દિવસ પહેલા શાહજહાંપુર પહોંચ્યા હતા. ટીમે રવિવારે ખૂબ જ ગુપ્ત રીતે રાજપાલની પ્રોપર્ટી પર એક બેંક બેનર લગાવ્યું હતું, જેના પર લખ્યું હતું કે આ પ્રોપર્ટી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, મુંબઈની છે અને તેના પર કોઈ પણ પ્રકારની ખરીદી કે વેચાણ ન કરવું જોઈએ.

અંદર ચાલતું કુલર પણ બંધ કરાયું ન હતું
રાજપાલ યાદવે કચરી ઓવરબ્રિજ પાસે આ પ્રોપર્ટી માર્બલ વેચનારને ભાડે આપી છે. બેંકની ટીમે બિલ્ડિંગના ગેટ પરના તાળાને સીલ કરી દીધું છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ કામ એટલી ઝડપથી કરવામાં આવ્યું હતું કે અંદર ચાલતું કુલર પણ બંધ નહોતું થયું.

રાજપાલને 3 મહિના માટે જેલમાં જવું પડ્યું હતું
નોંધનીય છે કે આ પહેલા વર્ષ 2018માં પણ રાજપાલને 3 મહિના માટે જેલમાં જવું પડ્યું હતું. દિલ્હી સ્થિત કંપની મુરલી પ્રોજેક્ટ્સે રાજપાલ યાદવની કંપની ‘શ્રી નૌરંગ ગોદાવરી એન્ટરટેઈનમેન્ટ’ વિરુદ્ધ સિવિલ કેસ દાખલ કર્યો હતો. રાજપાલે આ લોન વર્ષ 2010માં લીધી હતી.