મોહન ચરણ માઝી બનશે ઓડિશાના નવા મુખ્યપ્રધાન

ઓડિશાના આગામી મુખ્યમંત્રી કોણ હશે? આના પરથી પડદો ઉંચકાયો છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મોહન ચરણ માઝીના નામને મંજૂરી આપવામાં આવી છે. તે આદિવાસી સમુદાયના છે. બુધવારે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. એવી ચર્ચા છે કે આ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી પણ હાજરી આપી શકે છે.

યુપી અને રાજસ્થાનની જેમ ભાજપે ઓડિશામાં પણ બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા લાગુ કરી છે. કનક વર્ધન સિંહ દેવ અને પ્રવતી પરિદાને નાયબ મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓડિશામાં મંગળવારે યોજાયેલી બીજેપી વિધાયક દળની બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટીના કેન્દ્રીય નિરીક્ષકો રાજનાથ સિંહ અને ભૂપેન્દ્ર યાદવ હાજર રહ્યા હતા.

બેઠક બાદ રાજનાથ સિંહે આ વાત કહી

પાર્ટી હાઈકમાન્ડે રાજનાથ અને ભૂપેન્દ્ર બંનેને જવાબદારી સોંપી હતી. વિધાયક દળની બેઠક બાદ દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભાજપના નેતા મોહન ચરણ માઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી હશે. કે.વી. સિંહ દેવ અને પાર્વતી પરિદાને રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.