યુગપુરુષ નાટકને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન

ધરમપુરઃ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરે આ વર્ષે પોતાની સ્થાપનાના 25 વર્ષ પૂરા કર્યા છે. આ પ્રસંગે 29 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી રજત જયંતી મહોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ, શ્રીમદ્ રાજચંદ્રજીના દર્શનથી પ્રેરિત આ બન્ને મહાપુરુષના સંબંધને ઉજાગર કરતા એક અદભૂત નાટકની પ્રસ્તુતી કરવામાં આવી હતી. આ નાટકનું નામ યુગપુરુષ-મહાત્માના મહાત્મા હતું. નાટક સ્વરુપે આપવામાં આવેલી આ શ્રદ્ધાંજલિને ઘણા લોકોએ બીરદાવી હતી. આ નાટક દુનિયાભરના 312 શહેરોમાં એક 1 વર્ષ જેટલા ઓછા સમયગાળામાં 7 જેટલી ભાષામાં 1062 વાર પ્રસ્તુત કરવામાં આવ્યું. આ નાટકના વૈશ્વિક પ્રભાવને જોતા વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડ્સ લંડન દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરને નાટક યુગપુરુષના નિર્માતાના રુપમાં 1060 લાઈવ પર્ફોર્મન્સ અને વિશ્વ સ્તર પર 7 ભાષાઓમાં ટીવી પ્રસારણ સાથે આધુનિક ભારતમાં વૈચારિક ક્રાંતિના સંદેશ સાથે વિશ્વનું સૌથી વધારે જોવામાં આવેલા નાટકના રુપમાં નોંધ્યું હતું.

WBR-India ના ટિથી ભલ્લા દ્વારા ગુરુદેવ રાકેશભાઈને આ રોકોર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ એક વૈશ્વિક સંસ્થા છે કે જે યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, આફ્રીકા, એશિયા અને ઓસ્ટ્રેલિયામાં કાર્યરત છે. પ્રસ્તુત સંસ્થા આંતરરાષ્ટ્રીય રેકોર્ડ અને કાર્યોના ઈન્ટરનેશનલ સર્ટીફિકેશનમાં અગ્રણી સંગઠનો પૈકી એક છે. આ વ્યક્તિત્વ અને શાંતિ તેમજ માનવતા માટે ઉત્કૃષ્ઠ યોગદાનના સ્થાનોને પણ સન્માનિત કરે છે.