ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારે કપાસની ટેકાના ભાવે (MSP) ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી છે. ભારતીય કપાસ નિગમ લિ. (CCI) દ્વારા સપ્ટેમ્બર-2025 સુધી કપાસની MSP પર ખરીદી થશે. કપાસ માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 7,471 નો ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. ટેકાના ભાવે કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતો 15 માર્ચ 2025 સુધી રજીસ્ટ્રેશન કરી શકે છે. રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ ભારતીય કપાસ નિગમના ઈ-માર્કેટ પોર્ટલ પર નોંધણી કરાવવી રહેશે.
ગુજરાતમાં કપાસ ખરીદ માટે 74 કેન્દ્રો
કપાસ ખરીદી માટે ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટ ઝોનમાં કુલ 74 કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. અમદાવાદ ઝોનમાં બાવળા, બોડેલી, ધોળકા, હિંમતનગર, પાલેજ, વિસનગર જેવા ખાંડલાવાળા ખરીદ કેન્દ્રો કામ કરશે. રાજકોટ ઝોનમાં અમરેલી, બાબરા, ગોંડલ, ધોરાજી, મોરબી, પોરબંદર, રાજકોટ, બોટાદ, અને અન્ય 40 થી વધુ કેન્દ્રો કાર્યરત છે. કપાસ ખરીદી સંબંધિત કોઈ પ્રશ્નો અથવા ફરિયાદ માટે વોટ્સએપ હેલ્પલાઈન નંબર +91 7718955728 જાહેર કરાયો છે. ખેડૂત મિત્રો આ નંબર પર મેસેજ મોકલીને મદદ મેળવી શકે છે.
