રાજકોટ: ગુજરાતમાં પાછલા ઘણા સમયથી હાર્ટ એટેકની બિમારીના ચોંકાવનારા આંકડા સામે આવે છે. ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં પાછલા 3 દિવસમાં સાત લોકોના જીવ હોવાનું સામે આવ્યું છે. હાર્ટ એટેકના કારણે રાજકોટ શહેર અને જિલ્લામાં સાત લોકોના મૃત્યુ નિપજ્યા છે, આ સિવાય કોઠારીયા, ગાંધીગ્રામ, શાપર,વેરાવળમાં પણ હાર્ટ એટેકથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. બેલનાથપરા સહિતના વિસ્તારમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. હાર્ટ એટેકથી મોટાભાગે 50થી 60 વર્ષીય લોકોના મોત થયા છે. જો કે અપવાદમાં આ પૈકી એકની ઉંમર 35 વર્ષ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા ઘણા સમયથી હાર્ટ એટેકથી લોકોના મૃત્યુ થયાની હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં છેલ્લા 72 કલાકમાં કુલ સાત લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. નોંધનીય વાત એ છે કે આ તમામમાં મોટાભાગના લોકો 50થી 60 વર્ષની ઉંમર ધરાવતા લોકો છે. છ પુરુષ અને એક મહિલાનું હાર્ટ એટેકના કારણે મોત થયુ છે. તો 50થી 60 વર્ષના લોકોમાં હાર્ટ એટેકનું વધતું જોખમ અને રાજકોટમાં જે હાર્ટ એટેકના બનાવ બન્યા છે તે ચિંતાનો વિષય બન્યા છે. કારણ કે 72 જ કલાકમાં સાત લોકોના હાર્ટ એટેકના કારણે મોત થયા છે. આજકાલ આપણે નાની ઉંમરમાં પણ મોટા હાર્ટ એટેકના કિસ્સાઓ જોતાં, વાંચતા અને સાંભળતા રહીએ છીએ. ફાસ્ટફૂડના જમાનામાં આપણી જીવનશૈલી બદલાઈ છે જેને કારણે હ્રદય પર જોખમ વધી ગયુ છે અને આ સ્મસ્યા આપણા રાજ્ય કે દેશની જ નથી બલકે આંકડાઓ કહે છે કે વિશ્વભરમાં 6.4 કરોડથી વધુ લોકોને હાર્ટ ફેલિયરની અસર થઈ છે. હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર અને કોરોનરી આર્ટરી ડિસીઝ એ હૃદયની સમસ્યાઓના મુખ્ય કારણો છે.