AMCનું 2025-26નું15,502 કરોડનું બજેટ જાહેર, જાણો મહત્વના મુદ્દા

અમદાવાદ: ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારેસન દ્વારા રૂપિયા 14001 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં લોકોના સૂચનોના આધારે ભાજપના સત્તાધીશો દ્વારા 1501 કરોડના વધારા સાથે 15502 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આજે 14 ફેબ્રુઆરીના રોજ શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં એડવાન્સ ટેક્સ ભરનારને 12 ટકા રિબેટ આપવાનો નિર્ણય લેવાયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા WHATSAPP CHAT BOTની સુવિધા અમલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CCRS વોટ્સએપ નંબર 75678 55303 ઉપર ચેટ દ્વારા પ્રોપર્ટી ટેક્સ વિકલ્પ ઉપર ક્લિક કરવાનું રહેશે. તેમના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા પ્રોપર્ટી ટેક્ષ ટેનામેન્ટ નંબર લખી તેમના પ્રોપર્ટી ટેક્ષ બીલ ડાઉનલોડ કરી અને ઓનલાઇન પેમન્ટ કરી શકે છે. આ સુવિધા કોર્પોરેશન દ્વારા 24 કલાક ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત ahmedabadcity.gov.in પર ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરી પ્રોપર્ટી ટેક્સ ભરી શકશો.

આગમી નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, બજેટ માટે ભાજપનાં ધારાસભ્યો, પદાધિકારીઓ, કોર્પોરેટરો અને પ્રજાના સૂચનો મેળવવા આવ્યા હતા. અમદાવાદમાં પૂર્વ કે પશ્રિમના ભેદભાવ વિના સર્વાગી વિકાસનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કમિશનરના મૂકેલા બજેટ રૂ. 14001 કરોડમાં રૂ. 1501ના સુધારા સાથેનું બજેટ રજૂ કરતાં હું હર્ષની લાગણી અનુભવું છું. વિકસિત ભારત 2047 એમ વિકસિત અમદાવાદ 2047 અનુરૂપ બનાવવામાં આવ્યું છે. 2025-25ના બજેટમાં બેગ અને પેપર ગ્રીન એનર્જી અનુરૂપ બનાવવામાં આવ્યું છે. બેગ પર QR કોડ સ્કેન કરતા સાથે બજેટની તમામ બાબતો મેળવી શકશે.

બજેટ 2025-26 અમદાવાદીઓને શું મળશે?

  • આ વર્ષના બજેટમાં નવા સ્મશાન અને રિનોવેશન પાછળ 10 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
  • સ્પોર્ટ એક્ટિવિટી ડેવલપ કરવા રૂપિયા 20 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
  • ઘોડાસર, ઇસનપુર, લાંભા, વટવા અને દાણીલીમડામાં ખારી કટ કેનાલ ફેઝ-2ની કામગીરી 100 કરોડના ખર્ચે થશે.
  • સરદાર પટેલ સ્ટેડિયમનું 75 કરોડના ખર્ચે નવીનીકરણ થશે.
  • વસ્ત્રાલ, અમરાઈવાડી, ઓઢવ, કઠવાડા, વાસણામાં ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની વોટર લાઈન 50 કરોડના ખર્ચે નાખવામાં આવશે.
  • બોપલ-ઘુમા, ભાડજ-ઓગણજ, નાના ચિલોડા, કઠવાડા, લક્ષ્મીપુરા, હંસપુરા, રાણીપ, સરખેજ અને અન્ય નવા વિસ્તારોમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર અને નવી પાણીની પાઈપ લાઈનો 50 કરોડના ખર્ચ નખાશે.
  • ભાડજ, ઓગણજ, ઘુમા, જગતપુર, ચેનપુર, ચિલોડા, કઠવાડા, લાંભા, ગ્યાસપુર તથા જરૂરીયાત મુજબ શહેરના અન્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ માટે 50 કરોડનો ખર્ચ થશે.
  • એલિસબ્રીજ વોર્ડમાં શ્રેયસ બ્રિજથી જયદીપ ટાવર સુધી તથા શ્રેયસ ટેકરા ચાર રસ્તાથી આયોજનનગર સોસાયટીથી જીવરાજ મહેતા હોસ્પિટલ સુધીની લાઈન અપગ્રેડેશન કરવી, વિરાટનગર વોર્ડમાં જીવન વાડી પંપિંગ સ્ટેશનની રાઈઝીંગ લાઈન અપગ્રેડેશન કરવી, દરિયાપુર વોર્ડમાં ડ્રેનેજ લાઈન સીસ્ટેમેટીક કરવી, ઓઢવ વોર્ડમાં ટી.પી. 1 વિસ્તારમાં ડ્રેનેજ લાઈન રીહેબ કરવા માટે તથા અન્ય જરૂરિયાત મુજબ શહેરના તમામ ઝોનમાં ડ્રેનેજ લાઈનોનુ રીહેબીલીટેશન માટે 50 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
  • ઓર્ગેનિક વેસ્ટમાંથી બાયો સીએનજી ગેસ બનાવવા પ્રોસેસિંગ પ્લાન્ટ 50 કરોડના ખર્ચે નાખવામાં આવશે.
  • વિવિધ પ્રોજેક્ટના કારણે અને ટીપી રોડ પરના દબાણો મુક્ત કરવા માટે રોડ પર આવતા મકાનો માટે વૈકલ્પિક મકાનોની ફાળવણી અને સ્લમ ફ્રી સીટી માટે 100 કરોડના ખર્ચે મકાનો બનાવશે.
  • વિનોબાભાવે નગર, લક્ષ્મીપુરા ગામ, કઠવાડા ગામ, હાથીજણ ગામ,ચેનપુર ગામ, ઘુમા ગામ, હંસપુરા ગામ, શીલજ ગામ, બોડકદેવ ગામ,લાંભા ગામ, ચિલોડા ગામ, તથા અન્ય જરૂરીયાત મુજબ ગામતળનો 45 કરોડના ખર્ચે વિકાસ કરાશે.
  • આર.એમ.એસ. ફેઝ-2 તળાવ, ઈસનપુર તળાવ, લાંભા તળાવ, વડુ તળાવ, ચેનપુર તળાવ, મહાલક્ષ્મી તળાવ તથા અન્ય જરૂરીયાત મુજબના તળાવોને ઇન્ટરલોકિંગ કરીને પાણીનુ સ્તર ઊંચુ લાવવા તથા નાગરીકોને તેમના જ વિસ્તારમાં હરવા ફરવાની સુવ્યવસ્થિત જગ્યા મળી રહે તે માટે તળાવોને રૂ. 25 કરોડના ખર્ચે વિકસાવાશે.
  • પીપળજથી કમોડ સુધીના નાળાઓ બંધ કરી ડેવલપ કરવા તથા નાળા મુક્ત અમદાવાદ બનાવવા 25 કરોડનો ખર્ચ કરાશે.
  • વાસણા વોર્ડમાં ટી.પી. 94, એફ.પી. 50-1માં નવુ ઓડિટોરીયમ, ઈસનપુર વોર્ડમાં સમ્રાટનગર પાસે ઓપન પાર્ટીપ્લોટ, રામોલ-હાથીજણ વોર્ડમાં વિનોબાભાવે નગરમાં ઓપન પાર્ટી પ્લોટ, લાંભા વોર્ડમાં ઓપન પાર્ટી પ્લોટ, ચાંદલોડીયા વોર્ડમાં ઓપન પાર્ટી પ્લોટ, સરદારનગરમાં હેમુ કાલાણી હોલને વાતાનુકૂલિત કરી નવીનીકરણ, નારણપુરા વોર્ડમાં ઓપન પાર્ટી પ્લોટ તથા જરૂરીયાત મુજબ શહેરમાં નવા હોલ, પાર્ટી પ્લોટ તથા ઓડિટોરીયમ 25 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.
  • વસ્ત્રાપુર, લાંભા, બાપુનગર, છારોડી, આર.એમ.એસ., ખોડિયાર, વડુ તળાવ તથા અન્ય જરૂરીયાત મુજબ શહેરના તળાવોના પાણીના શુધ્ધિકરણ માટે બાયો રેમેડિઝ ટેકનોલોજીના ઉપયોગ માટે 10 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે શાસક પક્ષ ભાજપનાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં એડવાન્સ ટેક્સ ચૂકવનારને અગાઉ 10 ટકા રીબેટ આપવામાં આવતુ હતુ. તેના બદલે 12 ટકા રીબેટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓનલાઇન પેમેન્ટ અને સળંગ ત્રણ વર્ષનો એડવાન્સ ટેક્સ ચૂક્યો હોય તે તમામને મળીને કુલ 15 ટકા જેટલું પ્રિબેટ આપવામાં આવશે, જેનો અમલ આગામી નાણાકીય વર્ષ 2025-26થી અમલ કરવામાં આવશે. આ ઉપરાંત વોટર ટેક્સ અને કન્વર્જન્સી ટેક્સના દરમાં કોઈ વધારો નહિ