અમદાવાદ: ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારેસન દ્વારા રૂપિયા 14001 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં લોકોના સૂચનોના આધારે ભાજપના સત્તાધીશો દ્વારા 1501 કરોડના વધારા સાથે 15502 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આજે 14 ફેબ્રુઆરીના રોજ શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં એડવાન્સ ટેક્સ ભરનારને 12 ટકા રિબેટ આપવાનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા WHATSAPP CHAT BOTની સુવિધા અમલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CCRS વોટ્સએપ નંબર 75678 55303 ઉપર ચેટ દ્વારા પ્રોપર્ટી ટેક્સ વિકલ્પ ઉપર ક્લિક કરવાનું રહેશે. તેમના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા પ્રોપર્ટી ટેક્ષ ટેનામેન્ટ નંબર લખી તેમના પ્રોપર્ટી ટેક્ષ બીલ ડાઉનલોડ કરી અને ઓનલાઇન પેમન્ટ કરી શકે છે. આ સુવિધા કોર્પોરેશન દ્વારા 24 કલાક ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત ahmedabadcity.gov.in પર ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરી પ્રોપર્ટી ટેક્સ ભરી શકશો.
આગમી નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, બજેટ માટે ભાજપનાં ધારાસભ્યો, પદાધિકારીઓ, કોર્પોરેટરો અને પ્રજાના સૂચનો મેળવવા આવ્યા હતા. અમદાવાદમાં પૂર્વ કે પશ્રિમના ભેદભાવ વિના સર્વાગી વિકાસનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કમિશનરના મૂકેલા બજેટ રૂ. 14001 કરોડમાં રૂ. 1501ના સુધારા સાથેનું બજેટ રજૂ કરતાં હું હર્ષની લાગણી અનુભવું છું. વિકસિત ભારત 2047 એમ વિકસિત અમદાવાદ 2047 અનુરૂપ બનાવવામાં આવ્યું છે. 2025-25ના બજેટમાં બેગ અને પેપર ગ્રીન એનર્જી અનુરૂપ બનાવવામાં આવ્યું છે. બેગ પર QR કોડ સ્કેન કરતા સાથે બજેટની તમામ બાબતો મેળવી શકશે.
બજેટ 2025-26 અમદાવાદીઓને શું મળશે?
|
ઉલ્લેખનીય છે કે આ વર્ષે શાસક પક્ષ ભાજપનાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં એડવાન્સ ટેક્સ ચૂકવનારને અગાઉ 10 ટકા રીબેટ આપવામાં આવતુ હતુ. તેના બદલે 12 ટકા રીબેટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓનલાઇન પેમેન્ટ અને સળંગ ત્રણ વર્ષનો એડવાન્સ ટેક્સ ચૂક્યો હોય તે તમામને મળીને કુલ 15 ટકા જેટલું પ્રિબેટ આપવામાં આવશે, જેનો અમલ આગામી નાણાકીય વર્ષ 2025-26થી અમલ કરવામાં આવશે. આ ઉપરાંત વોટર ટેક્સ અને કન્વર્જન્સી ટેક્સના દરમાં કોઈ વધારો નહિ
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)