ધૂળેટી પર્વના અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને હાર્દિક શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું કે રંગોત્સવનો આ પવિત્ર દિવસ સમાજમાં એકતા, સૌહાર્દ અને આનંદનું પ્રતિક છે. તેમણે લોકોને પ્રકૃતિમિત્ર રંગોથી અને સુરક્ષિત રીતે પર્વ ઉજવવાની અપીલ કરી છે.
આનંદ, ઉલ્લાસ અને સૌહાર્દના પર્વ ધુળેટી નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
સૌ સાથે મળીને આ રંગોત્સવને એવી રીતે ઉજવીએ કે પર્યાવરણનું પણ જતન થાય.
રંગોનો આ તહેવાર સૌના જીવનમાં નવી આશા અને ઉત્સાહના રંગો પૂરે તથા આપણું સામાજિક જીવન પરસ્પર સ્નેહ અને મીઠાશથી મહેકતું રહે તેવી… pic.twitter.com/HciOwSK3E7
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 4, 2026
ગુજરાતના ગૃહમંત્રીએ પણ ધૂળેટીના અવસરે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે આ તહેવાર ભાઈચારો અને પ્રેમનો સંદેશ આપે છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ છે અને નાગરિકોએ પણ સહકાર આપવો જોઈએ.
સજે પ્રકૃતિ સોળ શણગાર, ધૂળેટીના રંગો આપના જીવનને અપાર ખુશીઓ અને આનંદથી રંગી દે.ધૂળેટીની આપને અને આપના પરિવારને હૃદયપૂર્વક શુભેચ્છાઓ.#Dhuleti #Holi pic.twitter.com/I8BMMlQGUZ
— Harsh Sanghavi (@sanghaviharsh) March 4, 2026
ગુજરાતના રાજ્યપાલે પોતાના સંદેશમાં જણાવ્યું કે ધૂળેટીનો તહેવાર આનંદ અને ઉત્સાહનો પ્રતીક છે. આ અવસરે તેમણે રાજ્યની સુખાકારી અને સમૃદ્ધિ માટે શુભકામનાઓ વ્યક્ત કરી.
રાજ્યભરમાં લોકો રંગોની મોજ માણી રહ્યા છે અને વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તહેવારને લઈને સુરક્ષા વ્યવસ્થાઓ પણ મજબૂત કરવામાં આવી છે.


