સૂરજ નારાયણ છાબડે ઢાંક્યા ન રહે…

 

સૂરજ નારાયણ છાબડે ઢાંક્યા ન રહે

 

 

કોઈ પણ તેજસ્વી વ્યક્તિની તેજસ્વીતા આડે ગમે તેટલાં આવરણ ઊભા કરવામાં આવે તો પણ તેજસ્વીતા બધાં જ આવરણ ભેદીને બહાર આવે છે. સૂરજ નારાયણનો વ્યાપ એટલો વિશાળ છે કે એનાં ઉપર છાબડું ઢાંકીને એના તેજને સંતાડી શકાય નહીં.

બરાબર આ જ રીતે તેજસ્વી અને સત્વશીલ વ્યક્તિ ગમે ત્યાં જાય અને એ ગરીબ કે તવંગર ગમે તે સ્થિતિમાં હોય, એનો પહેરવેશ લગરવગર હોય અથવા એની પ્રતિભાને અવરોધતાં ગમે તે પરિબળો હોય છેવટે તે સૂરજ નારાયણની માફક ઝળકી ઊઠે છે.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)