શું તમે જાણો છો ડાયાબિટીસ માટે કેટલી ઉપયોગી છે ડુંગળી?

ભારતમાં ડાયાબિટીસનો રોગ મોટી સમસ્યા બની ગયો છે. ભારતમાં અંદાજે 5 કરોડ 70 લાખ લોકો ડાયાબીટીસની બીમારીથી પીડાય રહ્યા છે, સર્વે અનુસાર દર 2 મિનિટે 1 વ્યક્તિ આ બીમારીને કારણે મૃત્યુ પામે છે. ખેર, આ તો થઈ ભારતની વાત પણ સમગ્ર વિશ્વની જો વાત કરીએ તો વર્ષ 2030 સુધીમાં લોકોના મૃત્યુ થવામાં ડાયાબિટીસ સાતમાં નબંરનું સૌથી મોટું કારણ બની શકે છે. હકીકતમાં ડાયાબિટીસ એક મેટાબોલિજ્ય ડિસઓર્ડર છે, જેમાં બ્લડ સુગર લેવલ સામાન્યસ્તર કરતા વધી અથવા ઘટી જાય છે. ડાયાબિટીસ મેલિટ્યુઝથી અત્યારે વિશ્વમાં અંદાજે 425 મિલિયન લોકો પ્રભાવિત છે.

યોગ્ય દેખભાળના અભાવે ડાયાબિટીસ મોટાપો, કિડની અને હાર્ટના રોગોનો આમંત્રણ આપે છે. ડાયાબિટીસના દર્દીઓને સામાન્ય રીતે યોગ્ય ડાયટ લેવાની સલાહ આપવામાં આવે છે, જેમાં ભરપૂર માત્રામાં ફાઇબરયુક્ત આહાક લેવાની સલાહ આપવામાં આવે છે.

ડાયાબિટીસ ડાયટ મેનેજમેન્ટની વાત કરીએ તો તમને જાણીને નવાઈ લાગશે પણ ડુંગળી ડાયાબિટીસને કંટ્રોલ કરીને બ્લડ સુગર નિયંત્રણમાં મહત્વનો ફાળો ભાગ ભજવે છે. પણ એ જાણવું જરૂરી છે કે, ડુંગળીનો ઉપયોગ કેવી રીતે કરવો…

અનેક સંશોધનોમાં સાબિત થઈ ચૂક્યું છે કે, ડુંગળીમાં રહેલું એન્ટિઓક્સીડન્ટ બ્લડ સુગરને સામાન્ય રાખવામાં મદદરૂપ થાય છે. ડોક્ટર ભારત બી.અગ્રવાલની એક પુસ્તક હીલિંગ સ્પાઈસિઝમાં પણ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આજે આપણે એ જાણીએ કે કેવી રીતે ડુંગળીની મદદથી ડાયાબિટીસના દર્દી તેમનું બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરી શકે છે.

ફાઇબરનો ભંડાર
ડુંગળીમાં પણ ખાસકરીને લાલ ડુંગળીમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. કાચી ડુંગળી કે લીલી ડુંગળી જે ખાસ કરીને શિયાળામાં વધુ જોવા મળે છે તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે. હકીકતમાં ફાઇબર તૂટવામાં અને પચવામાં સમય લે છે. જેથી બ્લડસ્ટ્રીમાં સુગર ઘીમી ગતિએ બને છે. સાથે જ ફાઇબરથી કબજીયાતમાં પણ રાહત મળે છે, જે સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓમાં જોવા મળે છે.

લો-કાર્બોહાઈડ્રેડ
ડુંગળી એક લો-કાર્બોડાઈડ્રેડ ફૂડ છે. 100 ગ્રામ લાલ ડુંગળીમાં માત્ર 8 ગ્રામ કાર્બોહાઈડ્રેડ હોય છે. કાર્બસને પચાવવું સરળ હોય છે, જેથી આ લોહીમાં ઝડપથી સુગર વધારવાનું કામ કરે છે. આ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓને લો કાર્બસ ફૂડ લેવાની સલાહ આપવામાં આવે છે. એટલું જ નહીં લો-કાર્બસ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

લો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ
ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ફૂડ કે કાર્બસની વેલ્યૂ છે. જેની મદદથી જાણી શકાય છે કે, કેટલી ઝડપ કે ધીમેથી તે બ્લડ સુગર લેવલને પ્રભાવિત કરશે. ડુંગળીનું ગ્લાઈસેમિક ઈન્ડેક્સ 10 છે, જે આને એક સારુ ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ફૂડ બનાવે છે.

ડુંગળીને કેવી રીતે કરશો તમારા ડાયટમાં સામેલ
ડાયાબિટીસના દર્દી ડુંગળીને સૂપ, સલાડ અથવા સેન્ડવિચમાં નાખીને ખાઈ શકે છે. પણ એક વાતનું ધ્યાન રાખવું કે, આહારમાં ડુંગળીનો ઉપયોગ લિમિટમાં કરવો. નહીતર પહેલી કહેવત છે ને કે અતિ ની કોઈ ગતિ નહીં….
ધ્યાન રાખો કે અહીં તો માત્ર ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવાની વાત કહેવામાં આવી છે પરંતુ ડાયાબિટીસને નાબૂદ કરવા માટે હજુ સુધી કોઈ દવા શોધાઈ નથી. જેથી તમે કે તમારો પરિવાર ડાયાબિટીસ જેવા રોગથી બચવા દરરોજ તમારી લાઈફસ્ટાઈલમાં વ્યાયામને સ્થાન, સારુ ભોજન આરોગો અને સ્વસ્થ રહો.