‘ચિત્રલેખા’નાં સર્જક વજુ કોટકનું ૧૦૩મી જન્મજયંતીએ સંસ્મરણ; એમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

વજુ કોટકઃ નાની ઉંમરમાં સિદ્ધિઓ અપાર…

વજુ લખમશી કોટકનો જન્મ ૩૦ જાન્યુઆરી, ૧૯૧૫માં રાજકોટમાં થયો હતો. વજુભાઈ એટલે વિચારો. વજુભાઈ એટલે વાતો અને વાર્તાઓ. નાનપણ-કિશોરાવસ્થામાં એમણે વિવિધ વાજિંત્રોની પણ તાલીમ મેળવી. એમાંય વાંસળી ઉપર તો એ સુરિલી ધૂન વગાડતા.

ગાંધીજીની દાંડીકૂચ યાત્રામાં જોડાવાની પરિવારજનોએ પરવાનગી ન આપતાં વજુભાઈ મિત્રોની સાથે સ્વદેશી ચળવળમાં ભાગ લેવા અમદાવાદના સાબરમતી આશ્રમમાં પહોંચી ગયા હતા, પણ એમની ઉંમર નાની હતી એટલે એમને ઘેર પાછા મોકલી દેવામાં આવ્યા હતા.

વજુભાઈએ લખેલી ‘રમકડાં વહુ’ નવલકથા કેવી રીતે લખાઈ એનો પણ કિસ્સો જાણવા જેવો છે.

વજુભાઈનું સપનું હતું ફિલ્મ દિગ્દર્શક બનવાનું. એ સાકાર કરવા તેઓ ૧૯૩૯માં ફિલ્મનગરી મુંબઈ આવ્યા, પરંતુ સંજોગવશાત્ વજુભાઈના જીવનમાં પલટો આવ્યો અને તેઓ પત્રકારત્વ તરફ વળ્યા. એમના મિત્ર અને બનેવી વ્રજલાલ રાડિયાના સૂચનથી વજુભાઈએ પોતાનું મેગેઝિન શરૂ કર્યું અને એને નામ આપ્યું ‘ચિત્રલેખા’ અને પછી ઈતિહાસ સર્જાઈ ગયો. ૨૨ એપ્રિલ ૧૯૫૦ના રોજ વજુભાઈએ ૧૦,૧૦૧ નકલ સાથે ‘ચિત્રલેખા’ સામયિકની ધમાકેદાર રીતે શરૂઆત કરી હતી. નાની ઉંમરમાં વજુભાઈએ હાંસલ કરેલી સિદ્ધિઓ, ઉપલબ્ધિઓ અપાર છે. એક વ્યક્તિ-પત્રકાર-લેખક તરીકે તેઓ ‘ચિત્રલેખા’ સાપ્તાહિકના રૂપમાં ગુજરાતી સમાજને જ્ઞાનની ગંગા આપતા ગયા છે.
(વજુભાઈ વિશે વધુ જાણો… હરિશ ભિમાણીના સ્વરમાં… આ વિડિયોમાં)

(વજુભાઈની જન્મતિથિએ એમની કલમપ્રસાદીને માણીએ, એમણે પોતે લખેલા તથા એમના વિશે લખાયેલા અમુક લેખને મમળાવીએ…)                                                                              888