Kamakhya Temple – chitralekha https://chitralekha.com Gujarati Magazine and News portal Fri, 03 Nov 2023 12:52:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://chitralekha.com/chitralemag/wp-content/uploads/2023/06/favicon.png Kamakhya Temple – chitralekha https://chitralekha.com 32 32 ભૂટાનના રાજા ત્રણ-દિવસ ભારતની મુલાકાતે… https://chitralekha.com/gallery/news-gallery/bhutan-king-jigme-khesar-namgyel-wangchuck-offers-prayers-during-his-visit-to-kamakhya-temple-guwahati-assam/ Fri, 03 Nov 2023 12:41:54 +0000 https://chitralekha.com/?p=377817
ભારતના મિત્રદેશ ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક ભારતની ત્રણ-દિવસની યાત્રા પર આવ્યા છે. 3 નવેમ્બર, શુક્રવારે આસામના ગુવાહાટી સ્થિત લોકપ્રિય ગોપીનાથ બોર્ડોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આગમન કર્યું હતું. ત્યાં આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિશ્વા શર્માએ એમનું સ્વાગત કર્યું હતું. ભૂટાન નરેશ બાદમાં ગુવાહાટીમાં આવેલા કામાખ્યા માતાનાં મંદિરમાં દર્શન કરવા ગયા હતા. ભૂટાનના રાજા ભારતમાંના રોકાણ દરમિયાન નવી દિલ્હી અને મહારાષ્ટ્ર પણ જશે. નવી દિલ્હીમાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ પ્રધાન એસ. જયશંકર તથા બીજા વરિષ્ઠ અધિકારીઓને મળશે.

ભૂટાનના રાજાનું ગુવાહાટી એરપોર્ટ પર સ્વાગત કરતા આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિશ્વા શર્મા.

(તસવીર સૌજન્યઃ @mygovassam, @MEAIndia, CMOfficeAssam)

]]>
અમિત શાહ ત્રિપુરામાં ભારત-બાંગ્લાદેશ સરહદે… https://chitralekha.com/gallery/news-gallery/amit-shah-inspects-fencing-work-on-the-indo-bangladesh-border-in-tripura/ Tue, 08 Mar 2022 13:59:47 +0000 https://chitralekha.com/?p=299410
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 8 માર્ચ, મંગળવારે ત્રિપુરા રાજ્યની મુલાકાત લીધી હતી. તેઓ રાજ્યના કથલચરી બોર્ડર આઉટ પોસ્ટ ખાતે ગયા હતા અને ભારત-બાંગ્લાદેશ સરહદ પર ભારત સરકાર દ્વારા બાંધવામાં આવી રહેલી વાડ (સિંગર રો ફેન્સિંગ) કાર્યની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાં એમણે લશ્કરી તથા અન્ય અધિકારીઓ સાથે સરહદ પર સુરક્ષા વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા પણ કરી હતી. એમની સાથે રાજ્યના મુખ્ય પ્રધાન બિપ્લવ કુમાર દેવ પણ હતા.

અમિત શાહે તે પહેલાં સવારે, ત્રિપુરાના પાટનગર અગરતલાથી 60 કિ.મી. દૂર આવેલા ઉદયપુરના સુપ્રસિદ્ધ શક્તિ પીઠ માં ત્રિપુરાસુંદરી મંદિરમાં જઈને દર્શન કર્યા હતા, મંદિરમાં 20 કિ.ગ્રા. ચાંદી અને બર્મીઝ ટીક લાકડાથી બનાવેલા દરવાજાનું લોકાર્પણ કર્યું હતું અને ત્રિપુરાની જનતાની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

(તસવીર સૌજન્યઃ અમિત શાહ ટ્વિટર)

]]>