700 અમુલ પ્રોડક્ટના ભાવમાં ઘટાડો, ઘી રુ.40 સસ્તું થયું

અમુલ બ્રાન્ડના અનેક ઉત્પાદનો માટે ભાવ ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. GCMMF એ શનિવારે ઘી, બટર આઈસ્ક્રીમ, બેકરી ઉત્પાદનો અને ફ્રોઝન નાસ્તા સહિત 700 થી વધુ પેકેજ્ડ ઉત્પાદનોના છૂટક ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. GST દર ઘટાડા બાદ કંપનીએ આ નિર્ણય લીધો છે.

PTI અનુસાર, આ ભાવ ૨૨ સપ્ટેમ્બરથી અમલમાં આવશે. એક નિવેદનમાં, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ ૭૦૦ થી વધુ ઉત્પાદન પેકની ભાવ યાદીમાં સુધારો કરવાની જાહેરાત કરી છે, જેથી તેના ગ્રાહકોને GST ઘટાડાનો સંપૂર્ણ લાભ મળે. આ સુધારો ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી અમલમાં આવશે.