નાગરિકતા બિલ પર મતદાનમાં શિવસેનાની ગેરહાજરી કેમ હતી?

નવી દિલ્હી: શિવસેના રાજ્યસભાના સદસ્ય અનિલ દેસાઇએ કહ્યું હતું કે સરકારે સંતોષકારક જવાબ ન આપ્યો હોવાથી વિવાદિત નાગરિકત્વ (સુધારા) બિલ અંગેના ઉપલા ગૃહમાં મતદાન દરમિયાન તેમની પાર્ટી ગેરહાજર હતી. દેસાઇએ કહ્યું કે શિવસેના બિલ પર મત આપતાં પહેલાં રાજ્યસભામાંથી બહાર નીકળી ગઈ હતી.

જો કે, રાજ્યના શાસક ગઠબંધનની અન્ય ભાગીદાર એનસીપીએ કહ્યું કે, મતનો બહિષ્કાર કરીને શિવસેનાએ સંદેશ આપ્યો કે પ્રસ્તાવિત કાયદાના વિવાદિત પાસાઓ પર ભાજપ જેવું તેનું મંતવ્યો નથી. રાજ્યસભાના પક્ષમાં 125 અને તરફેણમાં 105 મત હતાં. શિવસેનાના સદસ્યો કેટલાક મુદ્દાઓ પર સ્પષ્ટતા માગતાં ગૃહની બહાર નીકળ્યા હતાં.

મહાજને ફેસબૂક પોસ્ટમાં કહ્યું, ‘દુઃખદ, કમનસીબ, બિલ પર સંજય રાઉતનું ભાષણ, આ મુદ્દે શિવસેનાની મૂંઝવણની નિશાની છે કે તમામ વિકલ્પો ખુલ્લાં રાખવાનો વિચાર છે? સ્પષ્ટતાના નામે કાર્યવાહીનો બહિષ્કાર કરવા માટેનું તેમનું પગલું બચાવ ન કરી શકાય તેવું છે અને તેવું માનવું મૂર્ખતા હશે કે તેઓ સમજી શક્યાં નથી કે તેમનો બહિષ્કાર શાસક પક્ષને મદદ કરશે.
જો કે, એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું, “શિવસેના વોકઆઉટનો અર્થ એ હતો કે બિલના મુદ્દે તેમની પાસે ભાજપ જેવા મંતવ્યો નથી.” એનસીપીના અન્ય નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું કે શિવસેનાએ મત આપ્યો હોત તો પણ તેના ત્રણ મતોથી વિપક્ષને ફાયદો થયો ન હોત.

આપને જણાવીએ કે નાગરિકત્વ સુધારણા બિલમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાન તરફથી ધાર્મિક ઉત્પીડનને લીધે 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારત આવેલા બિનમુસ્લિમ શરણાર્થીઓને – હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયો – ભારતીય નાગરિકત્વ માટે અરજી કરવા યોગ્ય કરવાની જોગવાઈ છે.