કોરોનાના કેસોની સંખ્યા 1 કરોડને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા એક કરોડને પાર પહોંચી છે. દેશમાં કોરોનાના કુલ કેસો એક કરોડને પાર કરવામાં 325 દિવસ લાગ્યા છે. ભારત વિશ્વમાં કોરાનાને મામલે બીજો દેશ બની ગયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 25,152 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 347 લોકોનાં મોત થયાં છે. દેશમાં પાંચ મહિનમાં બીજી વાર 23,000થી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,00,04,599 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,45,136 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 95,50,712 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,08,751એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 95.46 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.  

દેશમાં અત્યાર સુધી 16,00.90,514 સેમ્પલ ટેસ્ટ થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 11,71,868 લોકોના કોરોનાની તપાસ કરવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.