કોવિડ19ના કેસ 102 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 102 લાખને પાર પહોંચી છે. આ કેસ 333 દિવસમાં નોંધાયા છે.  આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 20,021 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 279 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,02,07,871 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,47,901 લોકોનાં મોત થયાં છે.  જોકે આ ખતરનાક બીમારીને 97,82,669 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 24,274 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,77,301એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 95.83 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.44 ટકા થયો છે.  

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.