સુદાન આગ અકસ્માતના મૃતકો તમિળનાડુ, યુપી અને બિહારનાઃ ભારતીય દૂતાવાસ

ખાર્તુમ: સુદાનમાં સિરામિક માટીકામના કારખાનામાં એલપીજી ટેન્કર બ્લાસ્ટમાં ઘાયલ થયેલા અથવા ગુમ થયેલા મોટાભાગના ભારતીય લોકો તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને બિહારના છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા અઢાર ભારતીયો વિશે અધિકારીઓ વધુ વિગતો મેળવી રહ્યાં છે.

ભારતીય દૂતાવાસે ભારતીયોની વિગતવાર સૂચિ બહાર પાડી છે જે અકસ્માત બાદ હોસ્પિટલમાં દાખલ થયાં છે અથવા બચી ગયાં છે અથવા ગુમ થયાં છે. સુદાનની રાજધાની ખાર્તુમની સીમમાં મંગળવારે ‘સિલા સિરામિક ફેક્ટરી’ પર આ અકસ્માત થયો હતો, જેમાં 23 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 130 લોકો ઘાયલ થયાં હતાં.

નોંધપાત્ર વાત એ છે કે આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં 18 ભારતીય પણ છે, જેની ઓળખ થઈ નથી. અકસ્માત બાદ ભારતની સાત હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી ચારની હાલત ગંભીર છે અને 16 લાપતા છે.
ભોગ બનેલા લોકોમાં તમિળનાડુના છ, બિહારના પાંચ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના ચાર, હરિયાણાના બે અને દિલ્હી અને ગુજરાતના એક-એકનો સમાવેશ થાય છે.

હોસ્પિટલમાં દાખલ કરાયેલા લોકોમાં તામિલનાડુના જયકુમાર, બુબલાન અને મોહમ્મદ સલીમ છે, જ્યારે રવિંદર સિંહ અને સુરેન્દ્ર કુમાર રાજસ્થાનના છે. અધિકારીએ જણાવ્યું કે બિહારના નીરજ કુમારનું હોસ્પિટલમાં નિધન થયું.ગુમ થયેલા લોકોની ઓળખ તામિલનાડુના રામ કૃષ્ણ, રાજ શેખર અને વેંકટ ચલમ, રામ કુમાર, અમિત તિવારી, અને બિહારના નીતીશ કુમાર મિશ્રા, ઉત્તર પ્રદેશના ઝીશાન ખાન, મોહિત અને પ્રદીપ વર્મા, રાજસ્થાનના ભજન લાલ અને જયદીપ, પવન અને પ્રદીપ ગુજરાતમાંથી ખાન બહાદુર તરીકે ઓળખ થઈ છે.

ભારતીય દૂતાવાસે બુધવારે એક નિવેદન બહાર પાડતાં કહ્યું, “ગુમ થયેલા લોકોમાંથી કેટલાક મૃતકોની સૂચિમાં હોઈ શકે છે, જે અમને મળ્યાં નથી કારણ કે શરીર ખરાબ રીતે દાઝવાને કારણે તેની ઓળખ શક્ય નથી.” ઘટના પર શોક ક દાખવતાં વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓમાં 60 ભારતીય પણ છે. તેમણે કહ્યું હતું કે ઘટના સમયે તેમાંથી 53 ફેક્ટરી અને રહેણાંક વિસ્તારમાં હાજર હોવાનું માનવામાં આવે છે. વિદેશ પ્રધાને કહ્યું, “અમારી પાસે ભારતીય કર્મચારીઓની જાનહાનિ વિશે દુ: ખદ માહિતી છે અને અમે સંખ્યા જાણવા પ્રયાસ કરી રહ્યા છીએ.”

ઘાયલોને અલ અમલ હોસ્પિટલ, ઓમદુરમન ટીચિંગ હોસ્પિટલ અને ઇબ્રાહિમ મલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.તેમણે કહ્યું હતું કે ખારતુમમાં ભારતીય દૂતાવાસ સતત ફેક્ટરી મેનેજમેન્ટના સંપર્કમાં રહે છે અને દૂતાવાસના જવાન સ્થળ પર હાજર રહે છે. વિદેશ પ્રધાને કહ્યું, “અમે સુદાન અધિકારીઓ સાથે મળીને મૃતકોને ટૂંક સમયમાં ઓળખવા માટે કામ કરી રહ્યાં છીએ.”

આ ઘટનામાંથી બચી ગયેલા કુલ 34 ભારતીયોને સલુમી સીરામિક્સ ફેક્ટરીના રહેણાંક પરિસરમાં રાખવામાં આવ્યા છે.
સુદાન સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગેસ ટેન્કરમાં વિસ્ફોટ થયા બાદ આગની ઘટના છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “પ્રાથમિક નિરીક્ષણો જ્વલનશીલ સામગ્રીનો સંગ્રહ ઉપરાંત કારખાનામાં સલામતીના જરૂરી પગલાં અને સાધનોનો અભાવ દર્શાવે છે. આ કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

દરમિયાન, યુએસની મુલાકાતે આવેલા સુદાનના વડાપ્રધાન અબ્દુલ્લા હમદોકે પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે પ્રારંભિક અહેવાલમાં જરૂરી સુરક્ષા પગલાંનો અભાવ દર્શાવ્યો હતો. સુદાન ટ્રિબ્યુન પોર્ટલે વડા પ્રધાનને ટાંકીને જણાવ્યું છે કે, “મંત્રીઓની પરિષદ ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટનાની ઘટનાને પુનરાવર્તિત થાય તે માટે અને અકસ્માતની જવાબદારી નક્કી કરવા માટે એક તપાસ સમિતિની રચના કરશે.”