સબરીમાલા મંદિર આજથી ખુલ્લુંઃ મહિલાઓને પ્રવેશ મળશે કે ફરી ઘર્ષણના એંધાણ?

તિરુવનંતપુરમ: સબરીમાલા કેસને સુપ્રીમ કોર્ટની લાર્જર બેંચમાં મોકલવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયની પૃષ્ઠભૂમિમાં, ભગવાન અયપ્પા મંદિર શનિવારે ખુલશે.

સબરીમાલા કેસને સુપ્રીમ કોર્ટની મોટી બેંચમાં મોકલવાના સર્વોચ્ચ અદાલતના નિર્ણયની પૃષ્ઠભૂમિમાં, ભગવાન અયપ્પા મંદિર શનિવારે ખુલશે અને કેરળ સરકારે કહ્યું છે કે, જે મહિલાઓ મંદિરમાં પ્રવેશ કરવા માગે છે તેઓને ‘કોર્ટનો આદેશ’ લાવવો જ જોઇએ. સર્વોચ્ચ અદાલતે આ ધાર્મિક મામલાને મોટી બેંચમાં મોકલવાનો નિર્ણય લીધો હતો. સર્વોચ્ચ અદાલતે અગાઉ યુવા મહિલાઓને ગયા વર્ષે મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. 17 નવેમ્બરથી શરૂ થતાં બે મહિના લાંબી વાર્ષિક યાત્રા સત્ર માટે આ મંદિર શનિવારે ખુલશે. કેરળના દેવસ્વમ મંત્રી કે સુરેન્દ્રને શુક્રવારે કહ્યું હતું કે સબરીમાલા આંદોલન કરવાની જગ્યા નથી અને રાજ્યની એલડીએફ સરકાર જે લોકોએ પ્રસિદ્ધિ મેળવવા મંદિરમાં પ્રવેશવાની જાહેરાત કરી છે તેમને સમર્થન નહીં આપે.

ભગવાન અયપ્પા મંદિરમાં પ્રવેશતી મહિલા કાર્યકરોને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી હોવાના અહેવાલોને નકારી કાઢતાં સુરેન્દ્રને કહ્યું કે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા અંગે “ભ્રમ” થયો હતો અને સબરીમાલા મંદિરની મુલાકાત લેવા ઇચ્છુક મહિલાઓ “કોર્ટ”નો હુકમ લાવવો જોઈએ ગુરુવારે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે પોતાનો ચુકાદો આપ્યો હતો અને તેને મોટી બેંચને સોંપવાનો નિર્ણય કર્યો હતો, સુરેન્દ્રન આ સંદર્ભમાં પત્રકારો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. મંત્રીએ કહ્યું, “સબરીમાલા આંદોલનકારીઓ માટેની જગ્યા નથી. કેટલાક લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરીને મંદિરમાં પ્રવેશવાની ઘોષણા કરી છે. તેઓ ફક્ત પ્રચાર માટે જ આ કરી રહ્યા છે. સરકાર આવી બાબતોને સમર્થન નહીં આપે. ”

જ્યારે કેટલાક કાર્યકરોના નિવેદન વિશે પૂછવામાં આવ્યું છે કે સર્વોચ્ચ અદાલતે 28 સપ્ટેમ્બર 2018ના નિર્ણય પર રોક લગાવી નથી, ત્યારે મંત્રીએ કહ્યું કે, “તે લોકો સર્વોચ્ચ અદાલતમાં સંપર્ક કરી શકે છે અને ત્યાંથી આદેશો લઇને મંદિરમાં આવી શકે છે. પ્રવેશી શકે છે. “તેમણે કહ્યું,” હજી થોડી મૂંઝવણ છે. સરકાર કાયદાકીય નિષ્ણાતોનો અભિપ્રાય લેશે. ” રાજ્યના સીપીઆઇ (એમ) નેતૃત્વના એક નજીકના સહયોગીએ પીટીઆઈને જણાવ્યું હતું કે સીપીઆઈ (એમ) ના રાજ્ય સચિવાલયની એક બેઠક મળી હતી,  જ્યાં કોર્ટના નિર્ણય અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે સચિવાલયની સામાન્ય લાગણી એ છે કે જ્યાં સુધી સર્વોચ્ચ અદાલત પોતાનો નિર્ણય નિર્ણય લેશે ત્યાં સુધી મહિલાઓને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે જે લોકો મંદિરમાં પ્રવેશ કરવા માગતા હોય તેઓએ કોર્ટમાં જવું જોઈએ અને ત્યાંથી તેમની તરફેણનો આદેશ લઇને આવવું જોઈએ.

કાયદા પ્રધાન એકે બાલાએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં હાજર ‘ભ્રમ’ અંગે સરકાર સક્ષમ કાનૂની નિષ્ણાતોનો અભિપ્રાય લેશે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ આર.એફ. નરીમાને શુક્રવારે કહ્યું હતું કે, સબરીમાલા કેસમાં 3 વિરુદ્ધ 2ની બહુમતી દ્વારા આપેલા ચૂકાદામાં સરકારે “મતભેદનો ખૂબ જ મહત્વપૂર્ણ હુકમ” વાંચવો