JNUના વિદ્યાર્થી નેતા ઉમર ખાલીદ પર ‘ગોળીબાર’; હુમલાખોર ફરાર

નવી દિલ્હી – અત્રે જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા ઉમર ખાલીદ પર આજે બપોરે કોન્સ્ટિટ્યૂશન ક્લબ ઓફ ઈન્ડિયાની બહાર એક અજાણ્યા શખ્સે ગોળી ચલાવી હોવાનું કહેવાય છે.

ખાલીદ સુરક્ષિત છે અને હુમલાખોર પિસ્તોલ ફેંકીને ફરાર થઈ ગયો હતો.

ખાલીદ ઉક્ત સ્થળે ‘યુનાઈટેડ અગેન્સ્ટ હેટ’ સંસ્થા દ્વારા ‘ખૌફ સે આઝાદી’ નામક કાર્યક્રમમાં હાજરી આપવા ગયો હતો ત્યારે એની પર હુમલો કરાયો હતો.

સફેદ શર્ટ પહેરેલા એક માણસે ખાલીદને ધક્કો માર્યો હતો અને પછી એમની પર ગોળીબાર કર્યો હતો. ખાલીદ સંતુલન ખોઈ બેસતાં નીચે પડી જતા ગોળી એને વાગી નહોતી, એમ બનાવ નજરે જોનારાઓએ કહ્યું હતું.