ઈન્ટરનેશનલ ટાઈગર ડેઃ વડાપ્રધાને કહ્યું કે ભારત વાઘ માટે સૌથી સુરક્ષિત સ્થળ…

નવી દિલ્હીઃ આજે ઈન્ટરનેશનલ ટાઈગર ડે છે. ત્યારે આજે ભારતના વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત દુનિયામાં વાઘ માટે સૌથી સુરક્ષિત સ્થળ છે એટલે વાઘોની સંખ્યામાં અહીં સતત વધારો થઈ રહ્યો છે. આખી દુનિયામાં વાઘોની સૌથી ઝડપથી ઘટતી સંખ્યા પ્રત્યે સંરક્ષણ માટે જાગૃતતા ફેલાવવાને લઈને દર વર્ષે 29 જુલાઈએ ઈન્ટરનેશનલ ટાઈગર ડે ઉજવવામાં આવે છે. આ અવસરે વડાપ્રધાને વાઘોની વસતી ગણતરી 2018નો રિપોર્ટ પણ જાહેર કર્યો છે.વડાપ્રધાન મોદીએ દેશભરમાં વાઘોને લઈને કરવામાં આવેલી ગણતરી સાથે જોડાયેલા રિપોર્ટને આજે જાહેર કર્યો. આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે 9 વર્ષ પહેલા સેન્ટ પીટસબર્ગમાં નક્કી કરવામાં આવ્યું હતું કે 2022 સુધી વાઘોની સંખ્યા બે ગણી કરવામાં આવશે પરંતુ અમે આ ટાર્ગેટ 4 વર્ષમાં જ પૂરો કરી દીધો છે. વડાપ્રધાને જણાવ્યું કે વર્ષ 2014માં ભારતમાં સંરક્ષિત વિસ્તારોની સંખ્યા 692 હતી જે 2019માં વધીને 860થી વધુ થઈ ગઈ છે. આ ઉપરાંત કોમ્યુનિટી રિઝર્વની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. વર્ષ 2014માં આ સંખ્યા 43થી વધીને 100થી વધુ થઈ ગઈ છે. તેઓએ કહ્યું કે, આજે આપણે ગર્વની સાથે કહી શકીએ છીએ કે ભારત લગભગ 3 હજાર વાઘની સાથે દુનિયાનો સૌથી મોટી અને સૌથી સુરક્ષિત હેબિટાટ પૈકીનું એક છે.વડાપ્રધાને જણાવ્યું કે વર્ષ 2014માં ભારતમાં સંરક્ષિત વિસ્તારોની સંખ્યા 692 હતી જે 2019માં વધીને 860થી વધુ થઈ ગઈ છે. આ ઉપરાંત કોમ્યુનિટી રિઝર્વની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. વર્ષ 2014માં આ સંખ્યા 43થી વધીને 100થી વધુ થઈ ગઈ છે. તેઓએ કહ્યું કે, આજે આપણે ગર્વની સાથે કહી શકીએ છીએ કે ભારત લગભગ 3 હજાર વાઘની સાથે દુનિયાનો સૌથી મોટી અને સૌથી સુરક્ષિત હેબિટાટ પૈકીનું એક છે.